Thu,22 May 2025,6:05 am
Print
header

Operation Sindoor : એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ફફડાટ, ભારતે અમેરિકાને કરી જાણ

પાકિસ્તાનમાં ઇમરજન્સી જાહેર, સેના એલર્ટ પર

પાકિસ્તાને ભારત પર હુમલાની આપી ધમકી

ઇસ્લામાબાદઃ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં અડધી રાત્રે એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે, રાત્રે દોઢ વાગ્યે સેનાએ જુદા જુદા મિસાઇલ હુમલા કરીને લશ્કર-એ-તૈયબા સહિતના આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે.આતંકીઓના લોન્ચ પેન્ડ પર આ ભારતનો મોટો હુમલો છે.

મિરાજ-2000 અને સુખોઈ-30 MKI એ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોને નિશાન બનાવ્યાં હતા. આ વિસ્તારોને લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોનો ગઢ માનવામાં આવે છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા બાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે અને ભારત સામે બદલો લેવાની ધમકી આપી છે. પાકિસ્તાને આ હુમલો થયાનું સ્વીકાર્યું છે. લાહોર અને ઇસ્લામાબાદમાં ફ્લાઇટો રદ્ કરી નાખવામાં આવી છે.અનેક એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે.

ભારતે હુમલા પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે યુએસ NSA અને વિદેશ સચિવ માર્કો રુબિયો સાથે વાત કરી છે, વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અજિત ડોભાલે આતંકવાદીઓ સામે કરેલી કાર્યવાહીની અમેરિકાને જાણ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch