Thu,22 May 2025,5:18 am
Print
header

સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકમાં નવો વિવાદ, લખ્યું છે દ્વારકામાં ભગવાન નથી- Gujarat Post

માલાધારી સમાજમાં રોષ ફાટી નીકળ્યો

વડોદરાઃ સ્વામિનારાયણ સંપ્રદાય તેમના વિવાદોને લઈને સતત ચર્ચામાં છે. હવે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકથી વિવાદ સર્જાયો છે. પુસ્તકમાં શ્રીમંત આબાસાહેબની વાતનો ઉલ્લેખ કરતા નવો દાવો કરવામાં આવ્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, એક વખત તેમણે સ્વામીને પૂછ્યું જે, 'સ્વામી ! મારા કુટુંબીઓ કુસંગી છે અને દ્વારિકાની યાત્રાએ જવાનું કહે છે, તેનું મારે કેમ કરવું? ત્યાં મને ભગવાન દર્શન આપશે ?' ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, 'ત્યાં હવે ભગવાન ક્યાંથી હોય ? જો તમારે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ.' ઉપરાંત, તેમાં લખવામાં આવ્યું છે કે, 'તમારા કુટુંબીઓ તો તમારા પૂર્વ જન્મના વેરી છે, તેથી તમને ખોટા માર્ગે લઈ ચાલ્યાં હતા પણ તમે અમારા ભક્ત છો તેથી રક્ષા કરી હતી.

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી એક વખત વિવાદમા આવ્યાં છે અને 'શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો' નામના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે પુસ્તકની વાર્તા નંબર 33 માં દ્વારકાધીશ વિષે કહેવાયું છે કે દ્વારકામાં ભગવાન નથી, ભગવાનને જોવા હોય તો વડતાલ જાઓ.જેને કારણે હિંદુ ધર્મના અનુયાયીઓ અને વિશેષ કરીને માલધારી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે.
 
સ્વામીનારાયણ સંપ્રદાયનાં આ પુસ્તકનાં દાવાથી માલધારી સમાજ ગુસ્સામાં છે અને માંગ કરી છે કે આ પુસ્તક જેના દ્વારા લખાયું હોય તેમણે દ્વારિકા આવીને ભગવાન કૃષ્ણની માફી માગવી જોઈએ.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch