Sat,08 August 2026,10:06 pm
Print
header

રથયાત્રાના પવિત્ર દિવસે અમદાવાદમાં અમી છાંટણા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

  • Published By Panna Patel
  • 2026-07-16 17:26:44
  • /

અમદાવાદઃ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ અમદાવાદના બોપલ, ચાંદખેડા, સાબરમતી, વાડજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે સુરત, વડોદરા, જામનગર, મોરબી, કચ્છ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં આજે રથયાત્રાના દિવસે વરસાદ પડ્યો છે. સવારથી ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી.

રથયાત્રાના દિવસે વરસાદ પડતા ભક્તોને ઉકડાટમાંથી રાહત મળી હતી. ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાના અવસરે અમદાવાદ જાણે ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે. જય જગન્નાથ અને જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ભગવાનની નગરચર્યામાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. 

અમદાવાદમાં આજે ભારે ગરમી અને બફારા વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર પણ અમીછાંટણા થતાં ભક્તોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. કાલુપુર વિસ્તારમાં ભગવાનના રથ પર અમીછાંટણા થતાં ભક્તોએ તેને શુભ સંકેત માન્યો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch