પટના: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે વિધાનસભામાં રાજ્યસભાની બેઠક માટે વિધિવત રીતે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. નીતિશ કુમારની સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ નીતિન નવીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને શિવેશ કુમારે પણ પોતપોતાના નામાંકન પત્ર દાખલ કર્યા હતા.
નામાંકન પ્રક્રિયા બાદ અમિત શાહે નીતિશ કુમારના લાંબા રાજકીય કાર્યકાળના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, નીતિશ કુમારનો કાર્યકાળ બિહારના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. તેમણે રાજ્યને જંગલરાજમાંથી મુક્ત કરાવી વિકાસના પંથે આગળ વધાર્યું છે. ધારાસભ્યથી લઈને કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી સુધીની લાંબી સફરમાં તેમના વ્યક્તિત્વ પર ભ્રષ્ટાચારનો એક પણ ડાઘ લાગ્યો નથી. તેમણે માત્ર ગામડાઓને રસ્તાઓથી જોડ્યા નથી, પરંતુ સમગ્ર રાજ્યની માળખાગત સુવિધામાં સુધારો કર્યો છે.
राज्य सभा के लिए अपना नामांकन पत्र दाखिल किया। pic.twitter.com/R9mDOHUfYr
— Nitish Kumar (@NitishKumar) March 5, 2026
નોમિનેશન પહેલાં નીતિશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની લાગણી વ્યક્ત કરતા લખ્યું કે, મારી સંસદીય કારકિર્દીની શરૂઆતથી જ મારી ઈચ્છા હતી કે હું બિહાર વિધાનસભાના બંને ગૃહો અને સંસદના બંને ગૃહોનો સભ્ય બનું. આ ઈચ્છાને અનુરૂપ હું રાજ્યસભામાં જઈ રહ્યો છું અને બિહારની નવી સરકારને મારું સંપૂર્ણ સમર્થન આપીશ.
બીજી તરફ, વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે આ ઘટનાક્રમ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપે બિહારમાં મહારાષ્ટ્ર મોડેલ લાગુ કર્યું છે. ભાજપે નીતિશ કુમાર પર એટલો માનસિક અત્યાચાર ગુજાર્યો છે કે તેમને મુખ્યમંત્રી પદેથી ખસી જવાની ફરજ પડી છે. ભાજપ પોતાના સાથી પક્ષોનો નાશ કરવામાં માને છે અને તેમણે નીતિશ કુમારને હાઈજેક કરી લીધા છે.
નીતિશ કુમારે ઉમેદવારી પત્ર ભર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેડીયુના વરિષ્ઠ નેતા તથા કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહ એક જ ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના થયા હતા. આ સંજોગોમાં બિહારની સત્તાને લઈને નવા સમીકરણો રચાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ રાજકીય પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, દિલ્હીમાં આ મુલાકાતના અનેક અર્થો કાઢવામાં આવી રહ્યા છે, ખાસ કરીને બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
સુરત કલેક્ટર કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAPના મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ | 2026-04-11 17:07:30
ઓપરેશન બ્લિટ્ઝઃ એરપોર્ટ પર 24 મહિલાઓ ઉતરી અને લાવી 29 કિલો સોનું, દાણચોરીનું 37 કરોડ રૂપિયાનું સોનું જપ્ત | 2026-04-10 18:57:46
હજારીબાગમાં ACBની મોટી કાર્યવાહી, બે એન્જિનિયરો 1.72 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા | 2026-04-10 08:49:14
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28