અમદાવાદઃ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા અને પાટીદાર આંદોલનના નેતા નિખીલ સવાણી આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયો છે. હાર્દિકના સાથી નિખીલ સવાણીએ ગુજરાત AAPના સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે ચર્ચા કરી હતી. બંધ બારણે બેઠક બાદ સવાણીએ આમ આદમી પાર્ટીનું ઝાડું પકડી લીધું છે. અગાઉ કોંગ્રેસમાં મહત્વ નહીં મળતું હોવાનો અને સિનિયર નેતાઓની ગંદી રાજનીતિનો નિખિલે આક્ષેપ લગાવ્યો હતો.
નિખીલ સવાણી કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના નજીકના વિશ્વાસુ ગણાય છે. જેથી તેને કોંગ્રેસમાં હાર્દિક પટેલની પણ અવગણનાનો આક્ષેપ પણ કર્યો હતો. મહત્વનું છે કે કોંગ્રેસે મારામારીને એક બનાવ પછી નિખીલની હકાલપટ્ટી કરી હતી બાદમાં પત્રકાર પરિષદ યોજીને નિખીલ સવાણીએ રાજીનામું આપ્યું હતું. મહત્વની વાત છે કે રાજીનામાની જાહેરાત બાદ નિખીલ સવાણીને યુથ કોંગ્રેસે સસ્પેન્ડ કર્યો હતો. પત્રકાર પરિષદમાં સવાણીએ કોંગ્રેસ પર ગંભીર આરોપ પણ લગાવ્યાં હતા. નિખીલે કહ્યું હતું કે યુથ કોંગ્રેસ મેમ્બરશીપ અભિયાન પૈસા ઉઘરાવવા માટે કર્યું હતું. કે કોરોનાથી મૃત્યું પામેલા લોકોના ઘરે કોંગ્રેસના આગેવાનો જઈ રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસના નેતા હજુ હાર્દિક પટેલના ઘરે ગયા નથી. હાર્દિક પટેલના પિતાનું અવસાન થયું છતાં કોઈ તેના ઘરે ગયું નથી. હાર્દિક પટેલની કોંગ્રેસમાં સતત અવગણના થઇ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ કાર્યક્રમ હાર્દિક પટેલની સતત અવગણના થાય છે. કોંગ્રેસના નેતાઓ જ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવાનું કાવતરૂ ઘડી રહ્યાં છે. હાર્દિકની રાજકીય હત્યા કરવાનું આ ષડયંત્ર છે. હાર્દિક પટેલ સાથે અન્યાય થયા છે.રાજકોટના અત્યારના મેયર અને તેના જેવા અનેક કાર્યકરોએ આવા લોકોના કારણે કોંગ્રેસ છોડી ગયા. ત્યારે હવે જોવું કહ્યું કે એક સમયે ગોપાલ ઇટાલીયા અને હાર્દિક પટેલ સાથે કામ કરનાર સવાણી આપને શું ફાયદો કરાવી શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23