મુંબઇઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિ ભાભીની ભૂમિકા નિભાવી ચૂકેલી નેહા મહેતા વિશે એક મોટો ખુલાસો થયો છે. હવે નેહા આ શોમાં પાછી ફરવા માંગે છે, પરંતુ શોના નિર્માતાઓએ તેને શોમાં પાછા લેવાની ના પાડી દીધી છે. નિર્માતા અસિતકુમાર મોદીએ આ વાત સ્પષ્ટ કરતાં કહ્યું કે, નેહા શોમાં પાછા ફરવા માંગતી હતી, પરંતુ તેણે કહ્યું ત્યારે મોડું થઈ ગયું હતું. અમે આ શોમાં જે નવા કલાકારને લીધાં છે તે સરસ કામ કરી રહ્યાં છે.આ શોમાંથી કોઈને એકવાર કાસ્ટ કરી લીઘા પછી કાઢી નાખવા એ સંભવ નથી.
ઉલ્લેખનીય છે કે, નેહા મહેતા શરૂઆતથી તારક મહેતા સિરિયલ સાથે સંકળાયેલી હતી. 12 વર્ષની આ યાત્રા એક વિવાદ સાથે સમાપ્ત થઈ. જ્યારે તેણે આ શો છોડી દીધો ત્યારે તેની પાછળનું કારણ આપ્યું કે આ શો અંગે તેમની પાસે કેટલાક મુદ્દાઓ છે જેનો ઉકેલ લાવવો જોઇએ, પરંતુ ન તો તેણે મારું સાંભળ્યું કે ન તો કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું. બાદમાં નેહા મહેતાએ પણ આ શોમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો. એક વાતચીતમાં નેહાએ કહ્યું હતું કે, હા મેં મારી રીતે પાછા ફરવાનો વિચાર કર્યો. પરંતુ તે પહેલાં હું સેટ પરના નિયમો અને કાયદાને બદલવા માંગતી હતી.
નેહાએ કહ્યું કે, તેના પિતાના કહેવા પર તેણે અસિત મોદી સાથે પાછા ફરવાની વાત કરી હતી. કહ્યું, ‘હું અસિત મોદીનો ખૂબ જ આદર કરું છું. મેં તેમને કહ્યું કે આ સર આપણે આટલી વસ્તુઓ પર વિચાર કરવો જોઈએ. આપણે તેમને ધ્યાનમાં લેવી જોઈએ, અને એ સાચું પણ છે. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે અમારી સાથે કામ કરવા માંગતા હો, તો તમારે તમારા કેટલાક અહમ મુદ્દાઓને સુધારવાની જરૂર છે. જો તમારે હજી પણ વિદાય લેવી હોય તો તમે હજી પણ જઇ શકો છો કારણ કે અમારી પાસે બીજું કોઈ છે જે ઓછા પૈસામાં પણ કામ કરી શકે છે. આવું કોઈની પણ સાથે થઈ શકે છે, તેથી હવે હું મારા જીવનમાં આગળ વધી ગઈ છું. નેહાએ શો છોડવા વિશે આખી વાત જણાવી નહીં પણ એટલું કહ્યું કે ઘણા કેસમાં ચૂપ રહેવું એ જ ઉત્તમ જવાબ છે. તેમણે કહ્યું, ‘કેટલીક વાર ઉત્તમ જવાબ એ હોય છે કે કોઈ વિષય પર મૌન રાખવું.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
જાંબલી રંગનું આ શાક સ્વાસ્થ્ય માટે અમૃતનો સાગર છે, અઠવાડિયામાં એકવાર પણ તેનું સેવન કરશો તો દુ:ખનો સમય દૂર થશે | 2024-04-20 08:15:10
શું તમે ઉનાળામાં બરફનું પાણી વધારે પીવો છો ? ક્યારેય ન કરો આ ભૂલ, થઇ શકે છે આ 8 શારીરિક સમસ્યાઓ | 2024-04-19 11:45:27
કેલ્શિયમની ઉણપના કિસ્સામાં દરરોજ આ 2 પ્રકારના બીજમાંથી 1 ચમચી બીજ ખાઓ, તમારું સ્વાસ્થ્ય સુધરશે | 2024-04-19 11:34:53
આ નાનું સફેદ-લાલ રંગનું ફળ ખૂબ જ શક્તિશાળી છે, આરોગ્ય માટે અદ્ભભૂત ગુણોથી ભરેલું છે, જીવલેણ રોગો સામે લડવાની શક્તિ ધરાવે છે | 2024-04-18 08:39:50
ડાયાબિટીસના દર્દીઓ આ રીતે જાંબુનો ઉપયોગ કરો, પાંદડાથી લઈને બીજ સુધી બધું જ ફાયદાકારક છે | 2024-04-17 09:23:44