Thu,18 April 2024,11:35 pm
Print
header

ઋષિ કપૂરનાં નિધનનાં 20 દિવસ પછી નીતુસિંહે ફેમિલી ફોટો કર્યો શેર, લખી આવી વાત

મુંબઇઃ ઋષિ કપૂરનાં નિધનને 20 દિવસ પુરા થયા છે. 67 વર્ષની વયે મૃત્યુ પામનાર લીજેન્ડ એક્ટર રિશી કપૂરની કમી તેમના પરિવારને ઘણી વર્તાઈ રહી છે. તેમની દીકરી રિધ્ધિમા અવારનવાર પિતા સાથેના પરિવારના થ્રોબેક ફોટોઝ શેર કરતી રહે છે. પતિ સાથે છેલ્લા શ્વાસ સુધી રહેનારી નીતુ પણ ઋષિની યાદમાંથી બહાર નથી આવી રહ્યાં. નીતુએ ઋષિ કપૂરની એક તસવીર શેર કરીને યાદ કર્યા છે. તેમણે પતિ રિશી કપૂર, પુત્ર રણબીર, દીકરી રિધ્ધિમા અને સમારા સાથેનો ફોટો શેર કર્યો છે. તેમણે તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, હું કઇ રીતે ઇચ્છા રાખું કે આ તસવીર સંપૂર્ણની સંપૂર્ણ જ રહે. કાશ આ ફોટો જેમ છે એમ જ આખો પરિવાર રહ્યો હોત.

આ ફોટો પર એકતા કપૂર, સુઝેન ખાન, શ્વેતા બચ્ચન, મનીષ મલ્હોત્રા વગેરેએ કમેન્ટ કરી હતી.રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટના મમ્મી સોની રાઝદાને પણ કમેન્ટ કરી હતી કે, હા ખરેખર. રિશી કપૂરનું નિધન 30 એપ્રિલના રોજ મુંબઈમાં થયું હતું. મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નીતુ સિંહે અગાઉ રિશી કપૂરનો ફોટો શેર કરી લખ્યું હતું કે, અમારી સ્ટોરીનો અંત થયો. રિધ્ધિમા દિલ્હીથી મુંબઈ આવી ત્યાર બાદ ઘરે  રિશી કપૂર માટેની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar