Mon,13 April 2026,1:50 pm
Print
header

નર્મદાઃ 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની હત્યા, પહેલા તેને જમીન પર પછાડ્યો, પછી પગથી ગળું દબાવ્યું

  • Published By Panna Patel
  • 2026-04-07 08:34:52
  • /

નર્મદાઃ જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેણે માનવતાને હચમચાવી દીધી છે. માત્ર 10 રૂપિયા માટે એક લકવાગ્રસ્ત વ્યક્તિની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના માત્ર હૃદયદ્રાવક જ નથી પણ સમાજમાં વધતી જતી અસંવેદનશીલતાનું પ્રતિબિંબ છે. આ ઘટના તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભાદરવા ગામમાં બની હતી. ગામના રહેવાસી 41 વર્ષીય રાજેશ તડવી લકવાગ્રસ્ત હતા. 

તેમને પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ઘટનાના દિવસે તે બસ સ્ટેન્ડ નજીકની એક દુકાનમાંથી કરિયાણાની ખરીદી કરીને ધીમે ધીમે ઘરે પરત ફરી રહ્યા હતા. તે જ ગામના રહેવાસી ધર્મેન્દ્ર તડવીએ તેમની પાસે જઈને 10 રૂપિયાની માંગણી કરી. જ્યારે રાજેશભાઇને પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપીનો ગુસ્સો અચાનક હિંસક બની ગયો.

તેણે રાજેશભાઇને રસ્તા પર ધક્કો મારીને તેમના પર હુમલો કર્યો. તેમને છાતી અને ગળા પર લાત મારી અને અંતે તેનો પગ તેમની ગરદન પર દબાવી દીધો. આ અમાનવીય હુમલામાં રાજેશભાઇનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 

ઘટનાની જાણ થતાં જ આખા ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કબ્જે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને થોડા કલાકોમાં જ આરોપી ધર્મેન્દ્ર તડવીની ધરપકડ કરી હતી.

આ ઘટના બાદ મૃતકના પરિવારમાં શોક છવાઈ ગયો હતો. એક વ્યક્તિ જે પહેલાથી જ પોતાના જીવન માટે લડી રહ્યો હતો તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગામ લોકો પણ આ દુ:ખદ ઘટનાથી આઘાતમાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch