(ફાઇલ તસવીર)
ખોડલધામમાં બનાવાશે પોલિટિકલ એકેડમી
રાજનીતિમાં નહીં પરંતુ સમાજમાં સક્રિયતા વધારશે નરેશ પટેલ
વડીલોની રાજનીતિમાં નહીં આવવાની સલાહ હતી, યુવાનોની રાજકારણમાં જોડાવાની ઈચ્છતા હતા
રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જવું કે નહીં તે મામલે મોટી જાહેરાત કરી છે. આખરે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી છે.સમાજના લોકોની લાગણીને જાણીને તેમણે આ નિર્ણય કર્યો હોવાની વાત કરી છે. રાજનીતિમાં નહીં પરંતુ સમાજમાં સક્રિયતા વધારવા તેમણે આ નિર્ણય લીધો હોવાનું કહ્યું છે.
નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે એક સર્વેમાં વડીલોની રાજનીતિમાં નહીં આવવાની સલાહ હતી, યુવાનોની ઇચ્છા હતી કે હું રાજકારણમાં જોડાઉ, ખોડલધામમાં પોલિટિકલ એકેડમી શરૂ કરવાની તેમણે જાહેરાત કરી હતી.નરેશ પટેલ છેલ્લા ઘણા મહિનાથી સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ તેવી વાતો કરતા હતા, કયા પક્ષમાં જોડાશે તે નક્કિ ન હતુ,આ સમયગાળામાં તેઓ કોંગ્રેસના ટોચના નેતાઓને દિલ્હીમાં મળ્યાં હતા. જેથી તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી.
થોડા સમય પહેલાં તેઓ સી.આર.પાટીલ સાથે એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. જેને લઈને તેઓ ભાજપમાં જઇને કેસરિયો ધારણ કરશે તેવી વાતો હતી.આમ આદમી પાર્ટીએ પણ તેમને આમંત્રણ આપ્યું હતુ, પરંતુ તેમણે રાજનીતિમાં નહીં જોડાવાની જાહેરાત કરી છે. જો કે તેઓ કોંગ્રેસમાં ગયા હોત તો ભાજપ તેમની સામે ષડયંત્રો શરૂ કરી દેશે તેવી પણ પાટીદાર સમાજમાં ચર્ચાઓ હતી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કૉંગ્રેસનો આરોપ, જાણો શું કહ્યું?Gujaratpost
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યા, અમિત શાહ પણ પહોંચ્યા હતા સર્કિટ હાઉસ - GujaratPost
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની અટકાયત કરી- Gujratpost
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણી બેઠકમાં બળવાખોરો પર ઉદ્ધવ આક્રમક, મુંબઈમાં કલમ 144 લાગૂ-Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યુ - Gujaratpost
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
રાજકોટ SP કચેરી સામે પિતા-પુત્રએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ- Gujarat Post
2022-06-24 16:51:06
પાછો કોરોનાનો ડર, કેસ વધતા રાજકોટ જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવા આદેશ- Gujarat post
2022-06-20 17:24:01
સૌરાષ્ટ્રમાં મ્યૂચ્યુઅલ ફંડના નામે લાખો રુપિયાની છેતરપિંડી-Gujarat post
2022-06-20 17:20:23
અમેરિકાથી રાજકોટ આવેલી ત્રણ વર્ષની બાળકી કોરોનાની ઝપેટમાં આવી- Gujarat Post
2022-06-20 11:21:25
રાજકોટ પોલીસનો તોડકાંડ પાછો યાદ આવ્યો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ગોવિંદભાઈ તમારે તો આગળ જ રહેવું જોઈએ- Gujarat post
2022-06-19 17:14:15