Wed,24 April 2024,7:53 pm
Print
header

ડોનના પરિવારનો નવો ખુલાસો, માત્ર ઇન્દિરા ગાંધી જ નહીં રાજીવ ગાંધી પણ કરિમ લાલાને મળવા આવતા હતા !

મુંબઇઃ શિવસેનાના સિનિયર નેતા સંજય રાઉતે કોંગ્રેસને લઇને મોટો ખુલાસો તો કરી નાખ્યો પરંતુ બાદમાં માફી માંગવી પડી છે, જો કે આ મામલો હવે આગળ વધી રહ્યો છે, તેમને કહ્યું હતુ કે મુંબઇના એક સમયના ડોન કરીમ લાલાને મળવા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આવતા હતા, બાદમાં વિવાદ પર તેમને માફી માંગી, પરંતુ હવે કરિમ લાલાના પરિવારે નવો ખુલાસો કરતા કહ્યું છે કે માત્ર ઇન્દિરા ગાંધી જ નહીં, પરંતુ તેમના પુત્ર અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પણ કરિમ લાલાને મળવા આવતા હતા, બાલા સાહેબ અને શરદ પવાર જેવી રાજકીય હસ્તીઓ અને અનેક ફિલ્મ સ્ટાર પણ લાલાને મળવા આવતા હતા, ગેંગસ્ટર કરીમ લાલાનાં પૌત્ર સલીમ ખાનના આ નિવેદનથી ફરી રાજનીતિમાં ચર્ચાઓ શરૂ થઇ છે.

એક સમયનો મુંબઇનો ડોન અને સ્મગલિંગ, દારૂથી માંડીને બે નંબરના ધંધામાં જેનું મોટું નામ હતુ તે કરિમ લાલા જેવા ગુનેગારને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મળતા હોવાના ખુલાસા પછી મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસને આડેહાથ લીધી છે. બીજી તરફ કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે પણ સંજય રાઉતના નિવેદન સામે નારાજગી દર્શાવી હતી, ત્યારે આ મુદ્દો હવે રાજકીય બનીને મોટું સ્વરૂપ લેશે તે નક્કિ છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch