Tue,29 April 2025,1:42 am
Print
header

સૌરભ હત્યા કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, સાહિલ અને મુસ્કાન પાંચ મહિનાથી કર્ણ પિશાચની તંત્રની સાધના કરતા હતા

પતિની હત્યા....પત્ની અને બોયફ્રેન્ડે મળીન કરી હત્યા, શરીર પર 15 નિશાન મળ્યા

મેરઠઃ સૌરભની હત્યા વખતે સાહિલે વધ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને માથું ફોડીને બંને હાથની હથેળીઓ કાપી નાખી હતી. હૃદય પર છરી રાખી મુસ્કાનેે પણ વાર કર્યો હતો, ત્યારબાદ રાત્રે ત્રણ વાગ્યે તેનું માથું અને હાથ બેગમાં નાખી સાહિલ તેના ઘરે લઈ ગયો હતો.

રૂમની દિવાલો પર ડરામણા ચિત્રો બનાવ્યાંં છે. આ બધું તંત્ર-મંત્ર તરફ ઈશારો કરે છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે કદાચ સાહિલ અને મુસ્કાન કર્ણ પિશાચની માતાની શક્તિ પ્રાપ્ત કરવા માટે આ તંત્ર ક્રિયા કરી રહ્યાં હતા. મુસ્કાને તેની માતા કવિતા રસ્તોગી પાસેથી પણ કર્ણ પિશાચની માતા વિશે માહિતી લીધી હતી. પોલીસ સ્ટેશનમાં તેની ધરપકડ બાદ પણ સાહિલ શુક્લાએ કવિતાને કહ્યું કે તેના પિતા પણ 25 દિવસ પછી જીવી શકશે નહીં. સાહિલના કહેવાથી જ પિતા અનિલ રસ્તોગીને હાર્ટ એટેક આવ્યો હતો. કર્ણ પિશાચની માતાની સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી સાહિલ તેની મૃત માતા સાથે વાત કરવા માંગતો હતો અને મુસ્કાન તેની મૃત માસી સાથે વાત કરવા માંગતી હતી.

મુસ્કાન તેની માં કરતાં વધુ માસીને માનતી હતી. આ કારણે મુસ્કાને પોલીસ સ્ટેશનમાં જ કવિતા રસ્તોગીને કહ્યું હતું કે તે તેની સાવકી માતા છે, તેની અસલી માતા જુલી છે.

મુસ્કાનની માતા કવિતા રસ્તોગીએ જણાવ્યું કે મુસ્કાન ઉર્ફે સોભી એક સામાન્ય છોકરી હતી જ્યારે તે સૌરભ રાજપૂતના પ્રેમમાં હતી. 2019 માં, સાહિલ શુક્લાને મળ્યાંં પછી તેણે ઓશોને અનુસરવાનું શરૂ કર્યું. 8 મહિના પહેલા મુસ્કાન રસોડામાંથી પાણી લઈને રૂમમાં ગઈ હતી, ત્યાં તેણે પોતાને બેડ પર સૂતેલી જોઈ હતી. ત્યારે પણ તેને રોકવામાં આવી હતી. તે પછી થોડો સમય બધું બરાબર રહ્યું. સૌરભ અને મુસ્કાન વચ્ચે ઝઘડો થયો. તે સમયે મુસ્કાને કહ્યું હતું કે, તેની દિનચર્યા મારા મોબાઈલની નોટબુકમાં નોંધાયેલી છે. મોબાઈલ ખોવાઈ જાય તો. પછી મારી પાસે પ્લાન B પણ છે.

કવિતા રસ્તોગીએ જણાવ્યું કે એક દિવસ મુસ્કાને કર્ણ પિશાચની માતા વિશે પૂછ્યું. પછી મેં તેના દાદા અનિલ રસ્તોગી સાથે વાત કરી. આનાથી આખો પરિવાર જોખમમાં આવી શકે છે. મુસ્કાનને આવી પ્રવૃત્તિઓમાં સામેલ ન થવું જોઈએ. સાહિલને મળ્યા પછી બંને એક સરખા બની ગયા. પછી તંત્ર-મંત્રની પ્રવૃતિઓ કરવા લાગ્યા. બંને નવેમ્બર મહિનાથી તાંત્રિક વિધિ કરતા હતા.

બીજી તરફ સાહિલ શુક્લાના રૂમને જોતા જ લાગે છે કે તેનું મન અંધશ્રદ્ધામાં દોડી રહ્યું છે. રૂમના ગેટ પર જ લખેલું છે, મીઠું સ્વાદ પ્રમાણે, અહંકાર અને સ્થિતિ પ્રમાણે હોય છે. તે પછી શિવના આદિયોગી અવતારની તસવીર છે. અંધકાર માટે રૂમની બારીઓ પર પડદા છે. સોફાની ઉપર એક  ચિત્ર છે, જેમાં પાંચ ગુણ્યા છ લખેલું છે. દિવાલ પર બે હાથ દોરેલા છે, એક સિગારેટ પકડે છે અને બીજો સિગારેટ માંગે છે. દિવાલ પર એક વૃક્ષ છે, એક પાંજરું છે અને કેટલાક પક્ષીઓ દિવાલ પર છે. દિવાલ પર પણ લખ્યું છે કે તમે અમારી સાથે ગડબડ ન કરી શકો. એટલે કે આખો ઓરડો તંત્ર મંત્રની કથા કહી રહ્યો છે.

શનિ પીઠાધીશ્વર મહામંડલેશ્વર શ્રી-શ્રી 108 મહેન્દ્રદાસજી મહારાજ કહે છે કે, કર્ણ પિશાચની માતાની સિદ્ધિ મેળવવા માટે બ્રહ્મચારી હોવું જરૂરી છે. એવું લાગે છે કે સાહિલ અને મુસ્કાને સિદ્ધિ મેળવવા માટે સૌરભને યુટ્યુબ પર જોઈને બલિદાન આપ્યું હતું. માથું અને હાથ કપાયા બાદ બંને પોતાના રૂમમાં લઈ ગયા અને સાથે પૂજા કરી. જે બાદ તેઓ મૃતદેહને દફનાવવા માટે જગ્યા શોધી રહ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પણ આ વાત કબૂલી હતી. જગ્યા ન હોવાથી ડ્રમ લાવી લાશને સિમેન્ટમાં દાટી દીધી હતી. તેમની આ પ્રવૃત્તિ પણ નવેમ્બર મહિનાથી ચાલી રહી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch