મુંબઈઃ પવઈ સ્થિત RAW સ્ટુડિયોમાં ગુરુવારે બપોરે બાળકોના અપહરણ કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યાં છે. 17 બાળકો સહિત 19 લોકોને બંધક બનાવનાર માનસિક રીતે અસ્થિર આરોપી રોહિત આર્ય પોલીસ સાથેની અથડામણ દરમિયાન ગોળીથી ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મોત થયું છે.
જ્યારે પોલીસ બાથરૂમમાં પ્રવેશી ત્યારે આરોપી એર ગન અને કેટલાક રસાયણોથી સજ્જ હતો. પોલીસે તેને સરેન્ડર કરવા જણાવ્યું હતું. પરંતુ આરોપીએ ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ પોલીસે વળતો જવાબ આપ્યો હતો. આરોપી રોહિત આર્યનું એન્કાઉન્ટરમાં મોત થયું હતુ.
આરોપી પાસે એર ગન હતી
જ્યારે પોલીસ બાથરૂમમાંથી પ્રવેશી ત્યારે આરોપી પાસે એર ગન અને કેટલાક રસાયણો હતા. પોલીસે તેને શરણાગતિ સ્વીકારવા કહ્યું હતુ, પરંતુ આરોપી માન્યો ન હતો. પોલીસે વળતો જવાબ આપતાં તેને ગોળી મારી દીધી હતી. તેને જોગેશ્વરી ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં બાદ ડીસીપી દત્તા કિશન નલાવડેએ માહિતી આપી કે પોલીસને બપોરે લગભગ 1:45 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ, પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને સ્ટુડિયોમાં ફસાયેલા બાળકોને બચાવ્યાં હતા.
બાળકોને ઓડિશન માટે બોલાવવામાં આવ્યાં હતા
પોલીસના જણાવ્યાં અનુસાર કુલ 17 બાળકો અને બે નાગરિકોને બંધક બનાવવામાં આવ્યાં હતા. પોલીસે શરૂઆતમાં આરોપી સાથે વાતચીત કરીને પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે વાત ન બની ત્યારે પોલીસ સ્ટુડિયોમાં પ્રવેશી હતી. QRT (ક્વિક રિસ્પોન્સ ટીમ) અને સ્પેશિયલ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકોને બચાવી લેવાયા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકોને વેબ સિરીઝ માટે ઓડિશન માટે બોલાવવામાં આવ્યાં હતા અને પછી તેમને બંધક બનાવવામાં આવ્યાં હતા. બાળકોની ઉંમર 4 થી 5 વર્ષની હતી, જેમાં ઘણી નાની છોકરીઓનો પણ સમાવેશ થતો હતો. આરોપીએ બાળકોને બંધક બનાવતા પહેલા વીડિયો જાહેર કર્યો હતો.
કોણ હતો રોહિત આર્ય ?
રોહિત આર્ય પુણેનો રહેવાસી હતો. શિવસેનાના નેતા દીપક કેસરકર શિક્ષણ મંત્રી હતા ત્યારે તેને એક શાળા પ્રોજેક્ટ માટે ટેન્ડર મળ્યું હતું. પરંતુ રોહિત આર્યનો આરોપ છે કે તેને તે પ્રોજેક્ટ માટે પૈસા મળ્યાં ન હતા.ત્યારબાદ તે વારંવાર મંત્રીના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરતો હતો અને હવે તેને બાળકોને પણ બંધી બનાવ્યાં હતા. તેને આ પગલું કેમ ભર્યું હતુ તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
સુરતમાં જગન્નાથજીની રથયાત્રામાં ગયેલી બે બહેનપણીઓનો અકસ્માત, એકનું મોત | 2026-07-16 19:45:56