(ગુવાહાટીની હોટલમાં એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો)
શિવસેનાના નવ નિયુક્ત વિધાયક દળના નેતા અજય ચૌધરીએ મહારાષ્ટ્ર વિધાનસભા ઉપાધ્યક્ષને પત્ર લખ્યો
વિધાયક દળની બેઠકમાં સામેલ નહીં થનારા બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ
ધારાસભ્યોએ ઘણી વખત ઉદ્ધવને મળવાનો સમય માંગ્યો પણ તેઓ ક્યારેય મળ્યાં નહીં
ગુવાહાટીઃ શિવસેના નેતા એકનાથ શિંદેના બળવા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. શિવસેનાના નવ નિયુક્ત વિધાયક દળના નેતા અજય ચૌધરીએ મહારાષ્ટ્ર વિધાનસભા ઉપાધ્યક્ષને પત્ર લખીને વિધાયક દળની બેઠકમાં સામેલ નહીં થનારા બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ શિવસેનાના અન્ય કેટલાક ધારાસભ્યો પણ ગુવાહાટી શિંદે પાસે પહોંચ્યાં છે.
ગુવાહાટીમાં હાજર બળવાખોર ધારાસભ્ય સંજય સિરસાતે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું અનેક વખત અમે ઉદ્ધવ ઠાકરેને જણાવ્યું હતુ કે કોંગ્રેસ અને એનસીપી શિવસેનાને ખતમ કરવાની કોશિશ કરી રહ્યાં છે. ધારાસભ્યોએ ઘણી વખત ઉદ્ધવને મળવાનો સમય માંગ્યો પણ તેઓ ક્યારેય મળ્યાં જ નહીં.
If you look at the constituency of any Shiv Sena MLA, from the Tehsildar to the revenue officer, no official is appointed in consultation with the MLA. We told this to Uddhav ji many times but he never responded to it: Rebel Shiv Sena MLA Sanjay Shirsat
— ANI (@ANI) June 24, 2022
શિવસેના સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું કે ઉદ્ધવ ગ્રુપે ડેપ્યુટી સ્પીકરને 12 ધારાસભ્યોએ ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. જેમાં એકનાથ શિંદે, તાનાજી સાવંતો, અબ્દુલ સત્તારી, પ્રકાશ સુર્વે, યામિની યાદવ. લતા ચૌધરીના નામ સામેલ છે. શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખીને જાણ કરી છે કે એકનાથ શિંદે ગૃહમાં તેમના નેતા રહેશે. તેઓ આજે પણ પાર્ટી વિધાયક દળના નેતા છે. પત્રની કોપી ડેપ્યુટી સ્પીકર, રાજ્યપાલ અને વિધાન પરિષદના સચિવને મોકલવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ભાજપ આ બધાની વચ્ચે શું રણનીતિ બનાવે છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
શું ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું ? આઠવલે-ફડણવીસની થશે મુલાકાત- Gujarat Post
2022-06-25 09:46:27