(ગુવાહાટીની હોટલમાં એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો)
શિવસેનાના નવ નિયુક્ત વિધાયક દળના નેતા અજય ચૌધરીએ મહારાષ્ટ્ર વિધાનસભા ઉપાધ્યક્ષને પત્ર લખ્યો
વિધાયક દળની બેઠકમાં સામેલ નહીં થનારા બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ
ધારાસભ્યોએ ઘણી વખત ઉદ્ધવને મળવાનો સમય માંગ્યો પણ તેઓ ક્યારેય મળ્યાં નહીં
ગુવાહાટીઃ શિવસેના નેતા એકનાથ શિંદેના બળવા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. શિવસેનાના નવ નિયુક્ત વિધાયક દળના નેતા અજય ચૌધરીએ મહારાષ્ટ્ર વિધાનસભા ઉપાધ્યક્ષને પત્ર લખીને વિધાયક દળની બેઠકમાં સામેલ નહીં થનારા બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ શિવસેનાના અન્ય કેટલાક ધારાસભ્યો પણ ગુવાહાટી શિંદે પાસે પહોંચ્યાં છે.
ગુવાહાટીમાં હાજર બળવાખોર ધારાસભ્ય સંજય સિરસાતે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું અનેક વખત અમે ઉદ્ધવ ઠાકરેને જણાવ્યું હતુ કે કોંગ્રેસ અને એનસીપી શિવસેનાને ખતમ કરવાની કોશિશ કરી રહ્યાં છે. ધારાસભ્યોએ ઘણી વખત ઉદ્ધવને મળવાનો સમય માંગ્યો પણ તેઓ ક્યારેય મળ્યાં જ નહીં.
If you look at the constituency of any Shiv Sena MLA, from the Tehsildar to the revenue officer, no official is appointed in consultation with the MLA. We told this to Uddhav ji many times but he never responded to it: Rebel Shiv Sena MLA Sanjay Shirsat
— ANI (@ANI) June 24, 2022
શિવસેના સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું કે ઉદ્ધવ ગ્રુપે ડેપ્યુટી સ્પીકરને 12 ધારાસભ્યોએ ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. જેમાં એકનાથ શિંદે, તાનાજી સાવંતો, અબ્દુલ સત્તારી, પ્રકાશ સુર્વે, યામિની યાદવ. લતા ચૌધરીના નામ સામેલ છે. શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખીને જાણ કરી છે કે એકનાથ શિંદે ગૃહમાં તેમના નેતા રહેશે. તેઓ આજે પણ પાર્ટી વિધાયક દળના નેતા છે. પત્રની કોપી ડેપ્યુટી સ્પીકર, રાજ્યપાલ અને વિધાન પરિષદના સચિવને મોકલવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ભાજપ આ બધાની વચ્ચે શું રણનીતિ બનાવે છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13