ઉદ્ધવે કહ્યું આ ધારાસભ્યો મને મળી શકતા હતા, સુરત જવાની શું હતી જરૂર ?
ધારાસભ્યોએ કરેલા આ બળવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર ખતરો
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુકના માધ્યમથી જનતાને સંબોધન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું મને કોઈ મુખ્યમંત્રી પદનો મોહ નથી. હું બાલાસાહેબ ઠાકરેનો પુત્ર છું. ધારાસભ્યો મને મળી શકતા હતા. સુરત જવાની શું જરૂર હતી ? જો તેઓ આ પદે મને નથી ઈચ્છતા તો હું મુખ્યમંત્રી પદ છોડી દઇશ, જો મારું કામ તેઓને પસંદ ન પડે, તો મને મોંઢા પર કહી શકે છે. હું રાજીનામું આપવા તૈયાર છું. શિવસૈનિકો ગદ્દારી ના કરે.
શિવસેનાને જનતાનું સમર્થન છે.રાજ્યમાં કોઈ અનુભવ વિના કોરોના મહામારી સામે લડત લડ્યો અને પ્રામાણિકતાથી કામ કર્યું. અનેક ધારાસભ્યો અમને ફોન કરી રહ્યાં છે અને કહે છે કે અમે પરત આવીશું.એવો આરોપ છે કે, શિવસેનાએ હિન્દુત્વ છોડી દીધુ છે. પરંતુ હું કહેવા માંગીશ કે, શિવસેના અને હિન્દુત્વ એક સિક્કાની બે બાજુઓ છે. હિન્દુત્વ શિવસેનાથી દૂર ના થઈ શકે.
If any MLA wants me to not continue as the CM, I am ready to take all my belongings from Versha Bungalow (official residence of the CM) to Matoshri: Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/kciNQsijer
— ANI (@ANI) June 22, 2022
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે.શિવસેનાના ઘણા ધારાસભ્યોએ બળવો કર્યો છે, આ બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ ઉદ્ધવ સરકારના મંત્રી એકનાથ શિંદે કરી રહ્યાં છે. હાલ એકનાથ શિંદેની સાથે 30 થી વધુ ધારાસભ્યો હોવાનું અનુમાન છે. ધારાસભ્યોએ કરેલા બળવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર ખતરો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
શું ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું ? આઠવલે-ફડણવીસની થશે મુલાકાત- Gujarat Post
2022-06-25 09:46:27