ઉદ્ધવે કહ્યું આ ધારાસભ્યો મને મળી શકતા હતા, સુરત જવાની શું હતી જરૂર ?
ધારાસભ્યોએ કરેલા આ બળવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર ખતરો
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુકના માધ્યમથી જનતાને સંબોધન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું મને કોઈ મુખ્યમંત્રી પદનો મોહ નથી. હું બાલાસાહેબ ઠાકરેનો પુત્ર છું. ધારાસભ્યો મને મળી શકતા હતા. સુરત જવાની શું જરૂર હતી ? જો તેઓ આ પદે મને નથી ઈચ્છતા તો હું મુખ્યમંત્રી પદ છોડી દઇશ, જો મારું કામ તેઓને પસંદ ન પડે, તો મને મોંઢા પર કહી શકે છે. હું રાજીનામું આપવા તૈયાર છું. શિવસૈનિકો ગદ્દારી ના કરે.
શિવસેનાને જનતાનું સમર્થન છે.રાજ્યમાં કોઈ અનુભવ વિના કોરોના મહામારી સામે લડત લડ્યો અને પ્રામાણિકતાથી કામ કર્યું. અનેક ધારાસભ્યો અમને ફોન કરી રહ્યાં છે અને કહે છે કે અમે પરત આવીશું.એવો આરોપ છે કે, શિવસેનાએ હિન્દુત્વ છોડી દીધુ છે. પરંતુ હું કહેવા માંગીશ કે, શિવસેના અને હિન્દુત્વ એક સિક્કાની બે બાજુઓ છે. હિન્દુત્વ શિવસેનાથી દૂર ના થઈ શકે.
If any MLA wants me to not continue as the CM, I am ready to take all my belongings from Versha Bungalow (official residence of the CM) to Matoshri: Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/kciNQsijer
— ANI (@ANI) June 22, 2022
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે.શિવસેનાના ઘણા ધારાસભ્યોએ બળવો કર્યો છે, આ બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ ઉદ્ધવ સરકારના મંત્રી એકનાથ શિંદે કરી રહ્યાં છે. હાલ એકનાથ શિંદેની સાથે 30 થી વધુ ધારાસભ્યો હોવાનું અનુમાન છે. ધારાસભ્યોએ કરેલા બળવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર ખતરો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13