મુંબઈ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી અનિલ દેશમુખે અંતે રાજીનામું આપી દીધું છે. દેશમુખે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મોકલી આપ્યું છે. દેશમુખ ઉદ્ધવને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે.અનિલ દેશમુખે રાજીનામાંમા લખ્યું- આજે એડવોકેટ જયશ્રી પાટિલની અરજી પર માનનીય હાઇકોર્ટ દ્વારા CBI તપાસના આદેશ આપવામાં આવ્યો છે. માટે હું નૈતિક આધાર પર ગૃહમંત્રીના પદ પરથી રાજીનામું આપું છું. હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે મને ગૃહમંત્રી પદ પરથી મુક્ત કરવામાં આવે.
મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા બહાર જિલેટિન સ્ટિક સાથેની ગાડી મળ્યાં બાદના ઘટનાક્રમમાં તેમની વિરુદ્ધ અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા. તેમણે રાજીનામું આપ્યું એ અગાઉ જ બૉમ્બે હાઈકોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.
એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું કે બૉમ્બે હાઈકોર્ટના આદેશ બાદ અનિલ દેશમુખ એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને પાર્ટીના અન્ય નેતાઓને મળ્યા હતા.પાર્ટીએ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજીનામું સ્વીકાર કરવાની વિનંતી કરી છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે જણાવ્યું કે તેમણે પોતાનું રાજીનામું મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપી દીધું છે અને મુખ્ય મંત્રીએ હજુ રાજીનામું સ્વીકાર કર્યું નથી.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ બૉમ્બે હાઈકોર્ટે ડૉ જયશ્રી પાટીલની અરજી પર સુનાવણી કરતા સીબીઆઈને મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપની પ્રારંભિક તપાસ 15 દિવસમાં શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
પોતાના રાજીનામામાં મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે બૉમ્બે હાઈકોર્ટેના નિર્દેશ પછી તેમને ગૃહમંત્રી પદ પર રહેવું નૈતિક રૂપે યોગ્ય નથી લાગતું. તેમના પર મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમવીર સિંહે ગંભીર આરોપ લગાવ્યા હતા જેના પર હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. જેમાં દેશમુખે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી વાઝેને 100 કરોડ રૂપિયાની ખંડણી માટેનું કામ આપ્યાના આરોપ છે. મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સતત ગૃહમંત્રી પદ પરથી અનિલ દેશમુખના રાજીનામાંની માગ કરી રહ્યાં હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38