Fri,19 April 2024,12:45 pm
Print
header

વિરોધીઓને ચીમકી ! શિવસેનાએ કહ્યું ગુજરાતમાં દાંડિયા રમનારા યાદ રાખજો, મહારાષ્ટ્રમાં તલવાર ઉડશે- Gujarat post

(ફાઇલ તસવીર)

રાજ્યપાલ કોશિયારી, અને ઉદ્ધવ  કોરોના સંક્રમિત

NCP પ્રમુખ શરદ પવાર અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગૃહ વિભાગથી નારાજ

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોનાથી સંક્રમિત થયા છે.સાંસદ સંજય રાઉતે તેમની સરકાર વિધાનસભા ભંગ તરફ આગળ વધી રહી હોવાના સંકેત આપ્યાં છે.આ અંગે તેમણે ટ્વિટ કર્યું છે. બીજી તરફ શિવસેનાએ મુખપત્ર સામનામાં લખ્યું છે કે ગુજરાતમાં દાંડિયા રમનારા યાદ રાખજો, મહારાષ્ટ્રમાં તલવાર ઉડશે, એક રીત તેમને ગુજરાતી ભાજપ નેતાઓને ચીમકી આપી છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભગતસિંહ HN Reliance હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા છે.મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને એક સાથે કોરોનાથી સંક્રમિત થયા છે. રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ તેમનું ટ્વિટર બાયો બદલ્યું છે, તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી મંત્રી પદની વિગતો હટાવી દીધી છે.

NCP પ્રમુખ શરદ પવાર અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગૃહ વિભાગથી ખૂબ નારાજ છે. અચાનક આટલા ધારાસભ્યો મુંબઈથી ગુજરાત શિફ્ટ થઈ ગયા અને ગૃહ વિભાગને તેની જાણ પણ ન થઈ તે કેવી રીતે બને!!

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch