Thu,25 April 2024,3:39 am
Print
header

ભાજપના સાંસદ જ કોરોના મામલે ભાજપની પોલી ખોલી રહ્યાં છે, જાણો પત્રમાં શું લખ્યું ?

જંબુસર હોસ્પિટલમાં કોરોનાની સારવાર થતી ન હોવાનો ભાજપ સાંસદ મનસુખ વસાવાનો આરોપ, નીતિન પટેલને લખ્યો પત્ર

 

ભરૂચઃ કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ થઇ રહ્યાં છે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ થવા વેઇટિંગમાં ઉભા રહેવાની સ્થિતિ છે.રાજ્યના અન્ય શહેરોમાં પણ કોરોનાએ હડકંપ મચાવ્યો છે. ત્યારે ભરૂચના જંબુસરમાં હજુય સરકારી હોસ્પિટલમાં કોવિડ 19ની સારવાર થતી ન હોવાનો ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલને લેખિત રજૂઆત કરતા કહ્યું કે લોકોએ સારવાર માટે નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે.

જંબુસર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરને વડોદરામાં પોતાની ખાનગી હોસ્પિટલો ચલાવવાનો રસ છે. જેને કારણે ડોકટર જંબુસરની સરકારી હોસ્પિટલ ચલાવતા નથી. સામે જંબુસર સિવિલમાં આજથી કોરોનાની સારવાર શરૂ કરાઇ હોવાનો સિવિલ સુપ્રિટેન્ડટનો દાવો છે.

આ સાથે જ અહીં ફિઝિશયન સહિતની પૂરતી સુવિધાઓ ન હોવાનો આરોપ લગાવ્યો છે  સુપ્રિટેન્ડટના બચાવ પર સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, અસુવિધા નહીં પરંતુ ખાનગી હોસ્પિટલ ચલાવવામાં ડો.લોહાને રસ છે. ફિઝિશયનની અછત મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની સાસંદ વસાવાએ ખાતરી આપી હતી. અગાઉ પણ વસાવા જનતાના પ્રશ્નોને લઇને પોતાની જ ભાજપ સરકાર સામે પડ્યાં હતા તેમને આદિવાસીઓના અધિકાર મુદ્દે પણ સરકારને રજૂઆતો કરી છે અને હવે કોરોનાની ભયાનક સ્થિતી મામલે તેમને ભાજપ સરકારની બેદરકારી છતી કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch