બનાસકાંઠાઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના વર્ષો જૂના ગઢને તોડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ અને દિયોદરના ધારાસભ્યએ અમીરગઢ વિસ્તારમાં ઠાકોર સમાજ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ડુંગરપુરી મહારાજની ધૂણીએ આયોજિત આ બેઠકમાં રાજકીય પ્રચારની સાથે ધાર્મિક ભાવનાઓનો પણ સહારો લેવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન મતદારોને સંબોધતા કેશાજી ચૌહાણે આકરા તેવર બતાવ્યાં, તેમણે મતદારોને વચનમાં લેતા કહ્યું કે, જો તમારું મન આઘું-પાછું થશે , તો હનુમાનદાદા ગદા મારશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમીરગઢમાં વર્ષોથી કોંગ્રેસનો કબ્જો છે, પરંતુ જો ફરીથી કોંગ્રેસ જીતશે તો તમારા કામો અટકી જશે. કોંગ્રેસના નેતાઓ એવું બહાનું કાઢશે કે ઉપર ભાજપની સરકાર છે એટલે કામ નહીં થાય. જેથી, વિકાસ માટે ભાજપને મત આપવો જરૂરી છે.
બનાસકાંઠા અને ખાસ કરીને અમીરગઢ પંથકમાં ઠાકોર સમાજનું વર્ચસ્વ છે. ભાજપ આ વખતે કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસના આ કિલ્લામાં ગાબડું પાડવા માંગે છે. કેશાજીના નિવેદન બાદ અમીરગઢ અને સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિરોધ પક્ષો આને આચારસંહિતા અને ધાર્મિક લાગણીઓનો દુરુપયોગ ગણાવી રહ્યાં છે, જ્યારે ભાજપના કાર્યકરોમાં નવા જોશનો સંચાર થયો છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00