Wed,15 July 2026,12:39 am
Print
header

મહુવા પાસે નરભક્ષી દીપડો ખુલ્લેઆમ ફરી રહ્યો છે, 10 વર્ષના બાળકનો જીવ લઇ લીધો

  • Published By Panna Patel
  • 2026-07-08 17:00:23
  • /

ભાવનગરમાં દીપડાએ 10 વર્ષના બાળકનો જીવ લીધો

આ દુઃખદ ઘટના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં બની

વન વિભાગે દીપડાને પકડવા માટે અભિયાન શરૂ કર્યું

ભાવનગરઃ મહુવા તાલુકાના બાંભણિયા ગામમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એક નરભક્ષી દીપડાએ 10 વર્ષના માસૂમ બાળક પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

મૃતક બાળકનું નામ નિત્ય પ્રકાશભાઈ ગોંડલિયા છે. સાંજના સમયે નિત્ય તેના ઘરેથી મોભિયાણા ગામ તરફ આવેલા પોતાના ખેતર તરફ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં દીપડાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો અને તેને ખેંચીને ખેતરમાં લઈ ગયો હતો.

ખેતરમાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યું માસૂમ બાળક

જ્યારે બાળક લાંબા સમય સુધી ઘરે પાછું ન આવ્યું, ત્યારે પરિવાર ચિંતિત થઈ ગયો હતો. શોધખોળ દરમિયાન બાળક ખેતર નજીક ગંભીર અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. દીપડાએ તેના પર ભયાનક હુમલો કર્યો હતો.

હોસ્પિટલ પહોંચતા પહેલા જ બાળકનું મોત થયું

પરિવારના સભ્યો માસૂમ નિત્યને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુઆની જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

પરિવારમાં માતમ છવાયો

મૃતક નિત્ય તેના પિતા પ્રકાશભાઈ ગોંડલિયાનું એક માત્ર સંતાન હતું. તેમના મોતથી પરિવાર ભારે શોકમાં ડૂબી ગયો છે. હોસ્પિટલ પરિષરમાં ગ્રામજનોનું મોટું ટોળું ભેગું થયું હતું અને તેમણે વન વિભાગ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

આ વિસ્તારમાં વન્યજીવોનો ભય વધી રહ્યો છે

તાજેતરના સમયમાં મહુવા અને રાજુલાના સરહદી વિસ્તારોમાં જંગલી પ્રાણીઓનો ઉપદ્રવ વધ્યો છે. મહુવા તાલુકામાં જંગલી પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલો થયાની આ ત્રીજી ઘટના છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વન વિભાગની ટીમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ છે. દીપડાને પકડવા માટે આ વિસ્તારમાં પાંજરાં ગોઠવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત, વન વિભાગે નજીકના તમામ ગ્રામજનોને સતર્ક અને સાવધ રહેવાની અપીલ કરી છે. વહીવટીતંત્રે એવી સલાહ પણ આપી છે કે જો કોઈને આસપાસના વિસ્તારમાં કોઈ જંગલી પ્રાણી જોવા મળે, તો તેમણે હેલ્પલાઇન નંબર 1926 પર ફોન કરીને તાત્કાલિક જાણ કરવી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch