Wed,14 May 2025,2:29 pm
Print
header

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન, 19 લોકોનાં મોત, બચાવ કામગીરી ચાલુ

તિરૂવનંતપુરમઃ કેરળના વાયનાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ભૂસ્ખલન મંગળવારે વહેલી સવારે મેપ્પડી નજીક થયો હતો. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યાં અનુસાર અહીં ફાયર ફાયટર અને એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 19 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જેમાંથી એક બાળક છે.

કેરળના મુખ્યમંત્રીએ કહી આ વાત

કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું કે કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પાડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં થયેલા મોટા ભૂસ્ખલનના પગલે તમામ સરકારી એજન્સીઓ શોધ અને બચાવ કામગીરીમાં જોડાઈ છે, જેમાં ઘણા લોકો ફસાયા હોવાની શક્યતા છે.

ભૂસ્ખલનમાં એક વર્ષના બાળકનું મોત

વાયનાડ જિલ્લાના અધિકારીઓના જણાવ્યાં અનુસાર, થોંડરનાડ ગામમાં રહેતા નેપાળી પરિવારના એક વર્ષના બાળકનું ભૂસ્ખલનમાં મોત થયું છે. મુખ્યમંત્રી વિજયને તેમના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું કે ઓપરેશનનું સંકલન કરવામાં આવશે અને રાજ્યના મંત્રીઓ બચાવ પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરવા પર્વતીય જિલ્લામાં પહોંચશે.

કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સની બે ટીમ વાયનાડ જવા રવાના

કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સની બે ટીમોને પણ બચાવ કાર્યમાં મદદ કરવા માટે વાયનાડ જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. સતત ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch