પંકજ ધીરે મહાભારત સિવાય પ્રસિદ્ધ ટીવી સિરિયલ ચંદ્રકાંતા અને ધ ગ્રેટ મરાઠામાં પણ કામે કર્યું હતુ
સડર, સોલ્જર અને બાદશાહ સહિતની સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતુ
પંકજ ધીરના પરિવારમાં તેમના પત્ની અનિતા ધીર અને તેમના પુત્ર નિકિતીન ધીર છે
મુંબઇઃ સૌથી લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી મહાભારતમાં કર્ણનું યાદગાર પાત્ર ભજવીને દેશભરમાં ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. આ દુઃખદ સમાચારની પુષ્ટિ તેમના સહ-કલાકાર અને મહાભારતમાં અર્જુન અભિનેતા ફિરોઝ ખાને ઇન્સ્ટાગ્રામ પર કરી છે. પંકજ ધીરના અવસાનથી તેમના ચાહકોને આઘાત લાગ્યો છે. અભિનેતાનું અવસાન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે.
સહ-કલાકારે દુઃખ વ્યક્ત કર્યું
મહાભારતમાં પંકજ ધીર સાથે કામ કરનાર ફિરોઝ ખાને ભાવનાત્મક પ્રતિભાવમાં કહ્યું, હા, એ સાચું છે કે તે હવે આપણી વચ્ચે નથી. વ્યક્તિગત રીતે મેં એક ખૂબ જ નજીકનો મિત્ર ગુમાવ્યો છે. તે માત્ર એક સારા અભિનેતા જ નહીં, પણ એક મહાન વ્યક્તિ પણ હતા. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી અને કહ્યું કે તેમના મિત્રનું અવસાન થયું છે અને તે ખૂબ જ દુઃખી છે.
કેન્સર સામે હારી ગયા જંગ
પંકજ ધીરનું અવસાન બુધવાર, 15 ઓક્ટોબરના રોજ સવારે 11.30 વાગ્યે થયું.આ અભિનેતા લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યાં હતા. આ લાંબી લડાઈ દરમિયાન તેઓ હારી ગયા. આ સમાચારથી સમગ્ર ફિલ્મી ઉદ્યોગ અને તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. આ સમાચાર તેમના પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. પંકજ ધીરને કેન્સર હતું. થોડા મહિના પહેલા, તેમને મોટી સર્જરી કરાવવી પડી હતી. પરંતુ હવે તેઓ આ દુનિયામાં રહ્યાં નથી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અમિત શાહ દ્વારા કો-ઓપ કુંભ 2025નું ઉદ્ઘઘાટન, પ્રતિષ્ઠિત મહાનુભાવોમાં ઉપસ્થિત રહ્યા હતા | 2025-11-15 18:46:33
Bihar Election Results: NDA માટે રવીન્દ્ર જાડેજા સાબિત થયા ચિરાગ, બિહાર ચૂંટણીમાં નિભાવ્યો ફિનિશરનો રોલ! | 2025-11-14 18:41:19
આ શાકભાજી શિયાળાની દુશ્મન છે, લીવરને મજબૂત બનાવવા અને આંખોની રોશની સુધારવા મદદ કરે છે, સ્વાસ્થ્ય માટે ચમત્કારિક છે | 2025-11-15 09:46:39
રોજ સવારે ખાલી પેટે લસણની એક કળી ચાવો, તમારા શરીરને મળશે આ 3 ફાયદા, બધા પૂછશે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય શું છે? | 2025-11-14 09:21:48
પપૈયાના પાન ઘણા ગંભીર રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે તેનું સેવન કરવું ? | 2025-11-13 08:58:52
અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક લથડી, ઘરમાં બેભાન થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરાયા | 2025-11-12 09:08:21
આ છોડ 100 રોગોની દવા છે, ફળો, પાંદડા, ડાળી, બધું જ ઉપયોગી છે, તેના ફાયદા તમને આશ્ચર્યચકિત કરશે | 2025-11-12 08:56:03