મુંબઈઃ બોલિવુડ એકટ્રેસ કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફિસમાં 9 સપ્ટેમ્બરે બીએમસી દ્વારા કરવામાં આવેલી તોડફોડને લઈને બોમ્બે હાઇકોર્ટએ ચુકાદો આપી દીધો છે. કોર્ટે કહ્યું કે બીએમસીનું પગલું બદલાના વલણથી કરવામાં આવ્યું છે. બીએમસીએ કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ માટે વળતર ચૂકવવું પડશે.કોર્ટે કંગના રનૌતની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડના કારણે થયેલા નુકસાનનું આકલન કરવાનો આદેશ આપ્યો છે.આ સંબંધમાં અધિકારીઓ માર્ચ 2021 સુધીમાં પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપશે. નુકસાનની ભરપાઈ માટે એજન્સીના રિપોર્ટ પર હાઈકોર્ટ બાદમાં ચુકાદો સંભળાવશે.
જસ્ટિસ એસ. જે. કૈથાવાલા તથા આર. આઈ. છાગલાની ખંડપીઠે આ કેસનો ચુકાદો આપતાં કહ્યું 'જે રીતે અહીં તોડફોડ કરવામાં આવી એ ગેરકાયદેસર હતી અને ફરિયાદીને કાયદાની મદદ ના મળે એ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોર્ટે ગેરકાયદેસર બાંધકામની BMCની નોટિસને પણ રદ્દ કરી દીધી છે. મહત્વનું છે કે 9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલ સ્થિત કંગનાની ઓફિસ 'મણિકર્ણિકા ફિલ્મ્સ'ના અનેક ભાગોને BMCએ ગેરકાયદે ગણાવીને તોડી પાડ્યા હતા.ત્યાર બાદ કંગનાએ હાઈકોર્ટમાં અરજી કરીને આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવીને BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું.
પહેલા હાઈકોર્ટે આપ્યો હતો સ્ટે
હાઈકોર્ટે કંગનાને રાહત આપતા બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો. જો કે કંગનાના વકીલે દાવો કર્યો હતો કે કોર્ટે જ્યાં સુધી કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો ત્યાં સુધી બંગલાનો 40 ટકા હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો,જેમાં ઝુમ્મર, સોફા તથા દુર્લભ કલાકૃતિ સહિત અનેક કીમતી સંપત્તિ સામેલ હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કેસને જોતાં એવું લાગી રહ્યું છે કે તોડફોડની કાર્યવાહી એક્ટ્રેસની સોશિયલ મીડિયા પોસ્ટ તથા નિવેદનોને કારણે એને ટાર્ગેટ બનાવવાના ઈરાદાથી કરવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે નુકસાનના મૂલ્યાંકન માટે અધિકારીની નિયુક્તિ કરી છે.
કંગનાએ કહ્યું, આ લોકશાહીનો વિજય છે
બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. કંગનાએ કહ્યું 'જ્યારે કોઈ વ્યક્તિ સરકારની સામે પડે અને જીતે તો એ વ્યક્તિની નહીં, પરંતુ લોકશાહીની જીત છે. મને હિંમત આપવા બદલ દરેકનો આભાર અને મારાં તૂટેલાં સપનાઓ પર હસનાર દરેક લોકોને થેંક્યુ. તમે વિલન તરીકે રમત રમ્યા અને તેથી જ હું હીરો બની શકી.'
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કન્નૌજથી આજે ભરશે ફોર્મ, ત્રણ દિવસ પહેલા જાહેર કરેલો ઉમેદવાર બદલ્યો – Gujarat Post | 2024-04-25 09:56:21
અમદાવાદઃ નકલી ગૃહ વિભાગનો અધિકારી ઝડપાયો, ખોટી આળખાણ આપીને ધમકી આપતા એન્જિનિયરની પોલીસે કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસની પુષ્ટિ બાદ 2196 પક્ષીઓના મોત | 2024-04-25 09:05:28
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
આ કાળા બીજ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો છો | 2024-04-25 08:54:01
તમે સ્વાદમાં ને સ્વાદમાં ઘણી બધી કાકડી ખાઇ જાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન | 2024-04-23 09:16:35
Benefits of Green Peppers: લીલું કેપ્સિકમ છે આ 5 રોગોની છે દવા, આજથી જ ખાવાનું શરૂ કરો | 2024-04-22 08:42:44
નારિયેળનું પાણી જ નહીં, તેની મલાઈ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કઈ કઈ સમસ્યાઓમાં છે અસરકારક ? | 2024-04-21 18:30:59
ઉનાળામાં રોગો સામે લડવા માટે આ ફળ એકલું જ પૂરતું છે, તે અનેક રોગોમાં દવાનું કામ કરે છે | 2024-04-21 07:33:33