Fri,19 April 2024,6:57 pm
Print
header

જૂનાગઢઃ સાયબર ક્રાઈમની ટ્રેનિંગમાંથી પરત ફરતી લખતે PSIનું અકસ્માતમાં મોત, સાયલા નજીક બની ઘટના

જુનાગઢઃ ગુજરાત પોલીસ વિભાગ માટે એક શોકના સમાચાર છે.સાયબર ક્રાઇમની ટ્રેનિંગમાંથી પરત ફરતી વખતે જૂનાગઢના પીએસઆઈનું કાર અકસ્માતમાં નિધન થયું છે. જેને કારણે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જૂનાગઢના પીએસઆઈ એ.કે.પરમાર અમદાવાદથી સાયબર ક્રાઈમની ટ્રેનિંગમાંથી પરત જઇ રહ્યાં હતા, ત્યારે સાયલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં તેમનું મોત થઇ ગયું છે.

પીએસઆઈના અકસ્માતના સમાચાર મળતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.સાથી પોલીસકર્મીના મોતથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે, પોલીસે તેમના પરિવારના સભ્યોને અકસ્માતની જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના સાયલામાં બનેલી આ ઘટનામાં જૂનાગઢ એ ડિવિઝનના પીએસઆઈની કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં એ. કે. પરમાર ગંભીર રીતે ઘાયલ થતા તેમનો જીવ ગયો હતો, હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch