રાજકોટઃ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ શનિવારે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું, તેમણે કોંગ્રેસના નેતાઓને નકલી દેશભક્ત ગણાવ્યાં અને તેમના પર સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો. નડ્ડાએ કોંગ્રેસના નેતાઓ પર માત્ર એક જ પરિવારની સંભાળ રાખવાનો આરોપ લગાવ્યો હતો.
નડ્ડાએ રાજકોટમાં ભાજપની તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પહેલા એક સભાને સંબોધિત કરતી વખતે નડ્ડાએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું કે આ સંકુચિત અને નાના વિચારોવાળા લોકો 'ભારત જોડો યાત્રા' દ્વારા ભારતને એક કરવામાં વ્યસ્ત છે પરંતુ તેઓએ ભારતને એક કરવા માટે સરદાર પટેલના યોગદાનને યાદ રાખવું જોઈએ.
જેપી નડ્ડાએ કોંગ્રેસ પર ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સહિત અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને ભૂલી જવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજ સુધી એક પણ કોંગ્રેસી નેતા કેવડિયામાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂંં ઓફ યુનિટી પર ફૂલ અર્પણ કરવા ગયા નથી. જેમણે 562 રજવાડાઓને ભેગા કરીને આ મહાન ભારતનું નિર્માણ કર્યું છે.
દેશની જનતા અને તેના યુવાનો આ નકલી દેશભક્તોને સત્ય બતાવશે જેઓ પોતાના હિતો માટે સમાજમાં ભાગલા પાડે છે. કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીનો હવાલો સંભાળતા નડ્ડાએ કોંગ્રેસના નેતાઓને યાદ અપાવ્યું કે દેશની આઝાદી માટે બલિદાન આપનારા સરદાર પટેલ અને અન્ય દેશભક્તોના યોગદાનને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. નડ્ડાએ યુવાનોને 2047 સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં યોગદાન આપવાનો સંકલ્પ લેવાની અપીલ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેન્દ્રીય મંત્રી શ્રી જે. પી. નડ્ડા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે આયોજિત વિરાટ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત #HarGharTiranga અભિયાનની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો.… pic.twitter.com/3Vv4RjHd24
— CMO Gujarat (@CMOGuj) August 10, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે, ગૃહમંત્રી શાહ અંતિમ દર્શન કરવા જશે | 2025-06-16 08:30:05
રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીની અંતિમયાત્રાની તૈયારીઓ, આ રૂટ રહેશે બંધ - Gujarat Post | 2025-06-15 11:51:28
એલોન મસ્કે રાજકીય પક્ષની કરી જાહેરાત ! કહ્યું 80 ટકા લોકોએ તેમને ટેકો આપ્યો, જાણો નામ શું છે? | 2025-06-07 08:58:53
પેટા ચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી હાર્દિક પટેલની બાદબાકી - Gujarat Post | 2025-06-04 20:04:25
રાહુલ ગાંધી ફરી પીએમ મોદી પર વરસ્યાં, ટ્રમ્પનો ફોન આવતાની સાથે જ મોદીએ સરેન્ડર કેમ કર્યું ? | 2025-06-03 19:32:32
જીગ્નેશ મેવાણીએ એવું તો શું લખ્યું કે કોંગ્રેસના નેતાઓમાં મચી ગયો ખળભળાટ- Gujarat Post | 2025-06-01 08:59:39
વડોદરા, ભૂજ અને અમદાવાદ બાદ ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો રોડ શો - Gujarat Post | 2025-05-27 10:45:13
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, વીજળી પડવાથી 7 વર્ષના બાળક સહિત 4 લોકોનાં મોત | 2025-06-15 07:38:13
અમિત ખૂંટ હત્યા કેસઃ મોડલે રાજકોટના ડી.સી.પી. સહિતના અધિકારીઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી- Gujarat Post | 2025-06-11 09:11:42