શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં થયેલા આતંકી હુમલામાં આપણા દેશના પાંચ જવાનો શહીદ થયા છે, જ્યારે પાંચ જવાનો ઘાયલ થયા છે. આતંકીઓને શોધવા માટે સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદીઓએ આ હુમલો કરતા પહેલા આ વિસ્તારની રેકી કરી હતી.
આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો હતો, જ્યારે સુરક્ષા દળો કઠુઆના બદનોટામાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં હતા. ત્યારે જ આતંકીઓએ હુમલો કરી દીધો હતો, બડનોટા ગામમાં રોડ કનેક્ટિવિટી સારી નથી. અહીં વાહનો દસથી પંદર કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ચલાવી શકાતા નથી.
પાકા રોડ ન હોવાના કારણે સેનાના વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યાં હતા. બેથી ત્રણ આતંકવાદીઓ અને કેટલાક સ્થાનિક ગાઈડ પહાડોની ટોચ પર હતા, આતંકવાદીઓએ પહેલા સેનાના વાહનો પર ગ્રેનેડ ફેંક્યા અને પછી ગોળીબાર કર્યો હતો. અગાઉ થયેલા હુમલાની જેમ અહીં પણ ડ્રાઇવરને નિશાન બનાવવામાં આવ્યો હતો.
સ્થાનિક ગાઇડે આ વિસ્તારમાં ફરીને આતંકીઓને મદદ કરી હતી. આ ગાઈડ આતંકવાદીઓને ખોરાક પણ આપતા હતા, તેમને આશ્રય પણ આપતા હતા. હુમલાને અંજામ આપ્યાં બાદ આ સ્થાનિક ગાઈડોએ આતંકીઓને છુપાવા માટે પણ મદદ કરી હતી.
જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી
જૈશ-એ-મોહમ્મદના ફ્રન્ટ સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ હુમલાની જવાબદારી લીધી હતી. સોમવારે બપોરે લગભગ 3.30 વાગ્યે સેનાના બે વાહનો આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતા અને સેનાના જવાનો પસાર થતાં જ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
#WATCH | J&K: Search operation by security forces is underway in the Machedi area of Kathua.
— ANI (@ANI) July 9, 2024
Indian Army convoy was attacked by terrorists in the Machedi area of Kathua district in J&K yesterday where five soldiers lost their lives. pic.twitter.com/wYDxIr9hoU
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી | 2025-06-11 16:21:32
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22