Israel Vs Hezbollah: ઇઝરાયેલની સેના લેબનોનમાં કૂચ કરવાની તૈયારી કરી રહી છે. હિઝબુલ્લાહને નષ્ટ કરવાના ઉદ્દેશ સાથે ઈઝરાયેલની સેના લેબનોન પર હવાઈ હુમલા કરી રહી છે. અમેરિકા સહિત સમગ્ર વિશ્વ ઇઝરાયેલને યુદ્ધવિરામની વિનંતી કરી રહ્યું છે. જો કે, ઇઝરાયેલે વચન આપ્યું છે કે જ્યાં સુધી તે હમાસ અને હિઝબુલ્લાહનો નાશ નહીં કરે ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત થશે નહીં.
અમેરિકાએ ઈઝરાયેલને 21 દિવસ માટે યુદ્ધવિરામની અપીલ કરી હતી, જેને પીએમ નૈતન્યાહૂએ ફગાવી દીધી હતી. ઈઝરાયેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હિઝબુલ્લા વિરુદ્ધ ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે.
વાર્ષિક સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધવા ન્યુયોર્ક પહોંચેલા બેન્જામિન નૈતન્યાહુએ કહ્યું કે જ્યાં સુધી ઈઝરાયેલના તમામ ઉદ્દેશો પૂરા ન થાય ત્યાં સુધી હવાઈ હુમલા ચાલુ રહેશે. ઈઝરાયેલની નીતિ સ્પષ્ટ છે. અમે સંપૂર્ણ તાકાત સાથે હિઝબુલ્લાહ પર હુમલો કરવાનું ચાલુ રાખીશું. જ્યાં સુધી અમે અમારા તમામ ધ્યેયો હાંસલ નહીં કરીએ ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.
ઇઝરાયેલના વિદેશમંત્રી કાત્ઝે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે યુદ્ધવિરામ નહીં થાય, જ્યારે સંરક્ષણમંત્રી યોવ ગાલાન્ટે કહ્યું કે સશસ્ત્ર દળોનો ઉદ્દેશ હિઝબુલ્લાહને અસંતુલિત કરવાનો અને તેમના નુકસાનમાં વધારો કરવાનો છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલના હુમલામાં દેશમાં 92 લોકો માર્યા ગયા છે અને 153 ઘાયલ થયા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેનેડાના પીએમ માર્ક કાર્નેએ આ ભારતીય મહિલાને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા, ભારત સાથેના સંબંધો સુધરશે | 2025-05-14 09:48:12
અમદાવાદઃ પાલતુ શ્વાને ચાર મહિનાની બાળકી પર કર્યો હુમલો, માથામાં બચકું ભરીને ખોપરી ફાડી નાખતા મોત | 2025-05-14 08:56:23
પાકિસ્તાનને PoK ખાલી કરવા કહી દેવામાં આવ્યું, ભારતે કાશ્મીર મુદ્દે ટ્રમ્પને પણ આપ્યો સણસણતો જવાબ | 2025-05-13 19:57:00
Acb ટ્રેપઃ રૂ.40 હજારની લાંચમાં PSI સહિત બે પોલીસકર્મીઓ પર સકંજો કસાયો | 2025-05-13 19:40:50
આદમપુર એરબેઝ પહોંચીને મોદીએ કહ્યું દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું, પાકિસ્તાનની આ એરબેઝ પર હુમલાની વાત ખોટી સાબિત થઇ | 2025-05-13 16:19:44
પેન્સિલવેનિયામાં માર્ગ અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત, કાર ઝાડ સાથે અથડાઈ હતી | 2025-05-13 08:29:35
બીજા એક દેશમાં થયો ભયાનક આતંકવાદી હુમલો, જેહાદીઓએ 100 થી વધુ સૈનિકો અને નાગરિકોની હત્યા કરી નાખી | 2025-05-13 08:13:03
પીએમ મોદીનું દેશને સંબોધન.. ભારતની બહેનોના સિંદૂર ભૂંસનારા આતંકીઓને જ ભૂંસી નાખ્યાં, પરમાણુ હુમલાની ધમકીઓથી ડરવાનું નથી | 2025-05-12 20:20:04
ACB ટ્રેપઃ રૂ. 2 લાખની લાંચના કેસમાં ખાણ ખનિજ વિભાગના 4 અધિકારીઓ-કર્મચારીઓ પર સકંજો | 2025-05-13 12:49:10