Thu,25 April 2024,10:44 am
Print
header

ઈસુદાન ગઢવીએ ભગવાન સત્યનારાયણની પૂજા કરીને આપ પ્રદેશ અધ્યક્ષનો સંભાળ્યો પદભાર- Gujarat Post

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટી હાર બાદ આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટો ફેરફાર થયો છે.ઈસુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખ અને ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા કો ઈન્ચાર્જ મહારાષ્ટ્ર બનાવાયા છે. કમૂરતા પૂરા થવાની સાથે જ ઈસુદાન ગઢવીએ ભગવાન સત્યનારાયણની પૂજા અર્ચના કરીને પદભાર સંભાળ્યો હતો. તેઓ આજથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની કામગીરી કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયાની પણ હાર થઈ હતી અને આપને 5 સીટો મળી હતી. ભાજપને 156 અને કોંગ્રેસને 17 સીટો મળી હતી. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જાણીતા પત્રકાર હતા, તેઓ મીડિયા છોડીને રાજનીતિમાં આવ્યાં છે અને હવે આપ ગુજરાતમાં 2024 લોકસભાની તૈયારીઓમાં લાગી જશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch