ઝારખંડઃ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા અંગે ગુપ્ત રિપોર્ટ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. ઝારખંડના રાંચીમાં રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડાપ્રધાન મોદીને ગુપ્ત અહેવાલ મોકલવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે આ એક ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે. સરકારે તેને સ્વીકારી લીધું છે અને હવે તેઓ તેમાં સુધારો કરશે. જો સરકારને આ વાતની ખબર હતી તો તેમણે કંઈ કેમ ન કર્યું ? મને ખબર પડી કે હુમલાના ત્રણ દિવસ પહેલા પીએમ મોદીને એક ગુપ્ત અહેવાલ મોકલવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. મેં આ અખબારમાં પણ વાંચ્યું છે.
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા જ્યારે 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યાં હતા.
પહેલગામ હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.
કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે 1960 ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે. ભારત સરકારે ભારતમાં પાકિસ્તાન સંબંધિત ઘણી યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ભારતીય હવાઈ ક્ષેત્ર 23 મે સુધી પાકિસ્તાની વિમાનો માટે બંધ કરવામાં આવ્યું છે. હજુ સરકાર પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી શકે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
અંબરનાથ ચૂંટણીમાં મોટો ખોલ, વ્હીપ વિરુદ્ધ જઈને અજિત જૂથે ભાજપના વિરોધમાં કર્યું વોટિંગ | 2026-01-12 18:47:18
તેઓ લૂંટ કરે છે અને જૂઠું બોલે છે... તે બંગાળમાં કેમ આવી રહ્યા છે ? મમતા બેનર્જીએ ઇડીની રેડ મુદ્દે ભાજપને પડકાર ફેંક્યો | 2026-01-08 16:12:19
આદિવાસી રાજનીતિમાં ઉલટફેર, દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા | 2026-01-06 15:44:06
બગદાણા વિવાદમાં હીરા સોલંકીએ ઝંપલાવ્યું, કહ્યું- કોળી સમાજ અન્યાય સહન નહીં કરે - Gujarat Post | 2026-01-01 18:56:36
જગદીશ વિશ્વકર્માની નવી ટીમની સત્તાવાર જાહેરાત, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના પદો માટે આ લોકોની પસંદગી | 2025-12-28 08:53:58
અયોધ્યામાં રામ મંદિર અને પંચકોસી પરિક્રમા માર્ગમાં નોન-વેજની ઓનલાઈન ડિલિવરી પર પ્રતિબંધ | 2026-01-09 19:24:55
રેલવેમાં સરકારી નોકરીની સુવર્ણ તક: 312 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો લાયકાત અને પગાર - Gujarat Post | 2026-01-09 19:13:14
દિલ્હી- એનસીઆરમાં ભારે ઠંડી વચ્ચે કમોસમી વરસાદ | 2026-01-09 08:54:54