ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે વહેલી સવારે નિધન થયું છે. હીરાબાનો જન્મ પાલનપુરમાં થયો હતો. લગ્ન બાદ તેઓ વડનગર શિફ્ટ થઇ ગયા હતા,હીરાબાના લગ્ન થયા ત્યારે તેમની ઉંમર 16 વર્ષ હતી. ઘરની આર્થિક અને પારિવારિક સ્થિતિ નબળી હોવાને કારણે તેમને ભણવાની તક ન મળી, પરંતુ પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે તેઓ બીજાના ઘરે જઇને કામ કરતા હતા. ફી ભરવા માટે તેમણે ક્યારેય કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા ન હતા. હીરાબા ઇચ્છતા હતા કે તેમના તમામ બાળકોને શિક્ષણ મળે, જેથી તેઓ બીજાના ઘરે કામ કરવા જતા હતા.
પીએમ મોદીનો માતા હીરાબા પ્રત્યેનો પ્રેમ અને આદર જગજાહેર છે. તેમની માતાએ કહેલી વાતોનો તેઓ ઘણી વાર ઉલ્લેખ કરી ચુક્યાં છે. મોદીએ ઘણા કાર્યક્રમોમાં હીરાબાનો ઉલ્લેખ કર્યો હતો. ઘણી વખત તેઓ જૂના દિવસોને યાદ કરીને ભાવુક થઈ જતા હતા.
નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે માતા હીરાબાને તમામ પ્રકારના ઘરેલુ ઉપચારોની ખબર હતી. તે વડનગરમાં નાના બાળકો અને મહિલાઓની સારવાર કરતા હતા. ઘણી મહિલાઓ પોતાની સમસ્યાઓ બીજાને કહેવાને બદલે હીરા બાને કહેતી હતી. મારી મા તો અભણ હતી, પણ આખું ગામ એને ડૉક્ટર કહીને બોલાવતું.
હીરાબાના 100માં જન્મદિવસ પર વડાપ્રધાન મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું હતુ કે, માતા હીરાબાનો જન્મ પાલનપુરમાં થયો હતો. તે વડનગરથી ખૂબ જ નજીક છે. હીરાબાના માતાનું સ્પેનિશ ફ્લૂના રોગચાળાને કારણે નાની ઉંમરે જ અવસાન થયું હતું. હીરાબાને પોતાના માતાનો ચહેરો પણ યાદ નથી, હીરાબાએ પોતાનું આખું બાળપણ તેમની માતા વિના વિતાવ્યું હતું. હીરાબાનું બાળપણ ગરીબી અને વંચિતતામાં વીત્યું હતું.
મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું કે કેવી રીતે તેમની માતા ન માત્ર ઘરના તમામ કામ જાતે કરતા હતા, પરંતુ એક પરિવારને ઉછેરવા માટે અન્ય લોકોના ઘરે જઇને કામ કરતા હતા. તે કેટલાક ઘરોમાં વાસણો ધોતા અને ઘરના ખર્ચને પહોંચી વળવા ચરખો ચલાવવા માટે સમય કાઢતા. મોદીને ઘણી વખત વડનગરનું નાનું ઘર યાદ આવતું હતું, જેની છત અને દિવાલો માટીની બનેલી હતી. જ્યાં તેઓ તેમના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે રહેતા હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18
પોલીસ વિભાગમાં મોટા ફેરફારો...65 ડીવાયએસપીની બદલી, 8 આઇપીએસને અપાયું પોસ્ટિંગ | 2024-03-14 19:05:29