Thu,22 May 2025,5:24 am
Print
header

પહેલગામ હુમલાને લઈને ઓવૈસી લાલઘૂમ- કહ્યું પાકિસ્તાનને સમજાવવાનો નહીં સજા આપવાનો સમય આવી ગયો છે- Gujarat Post

  • ઓવૈસીએ કહ્યું- પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ
  • વક્ફ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા

ચંપારણઃ આ વર્ષના અંત સુધીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને બિહારમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ સંદર્ભમાં, AIMIM ના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી રવિવારે પૂર્વ ચંપારણ જિલ્લાના ઢાકા પહોંચ્યાં હતા, જ્યાં તેમણે એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી. દરમિયાન તેમણે પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું કે હવે સમય સમજાવવાનો નથી પણ યોગ્ય જવાબ આપવાનો છે.

જાહેર સભાને સંબોધતા, ઓવૈસીએ પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે દેશ હવે આવું વધુ સહન કરી શકે નહીં. તેમણે કહ્યું, પાકિસ્તાની આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોને તેમના પરિવારોની સામે ક્રૂરતાથી મારી નાખ્યાં. તેમાંના કેટલાક એવા પણ હતા જેમના લગ્ન છ દિવસ પહેલા જ થયા હતા. તેમણે કેન્દ્ર સરકાર પાસે આ હુમલાના ગુનેગારોને કડક સજા આપવામાં આવે અને મૃતકોને 'શહીદ'નો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી હતી. ઓવૈસીએ કહ્યું કે તેમનો પક્ષ આ મુદ્દે ભારત સરકારની સાથે ઉભો છે.

પોતાના ભાષણમાં, ઓવૈસીએ વક્ફ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે તેને મુસ્લિમો વિરુદ્ધનું કાવતરું ગણાવતા કહ્યું કે આ કાયદો મસ્જીદો, કબ્રસ્તાનો, ઇદગાહ, દરગાહ અને ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓ છીનવી લેવાનું કાવતરું છે. જ્યાં સુધી આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેનો સખત વિરોધ કરવામાં આવશે.
 
ઓવૈસીએ કહ્યું, ભારતે આતંકવાદ ફેલાવવા બદલ નિષ્ફળ રાષ્ટ્ર પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ. મને આશા છે કે આપણા વડાપ્રધાન કંઈક એવું કરશે જેનાથી પાકિસ્તાન ભારત આવીને નિર્દોષ લોકોને મારતા પહેલા સો વાર વિચારશે. ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશી નરવાલે, જે 22 એપ્રિલે પહેલગામમાં માર્યા ગયેલા 26 લોકોમાં સામેલ હતી, તેમણે હિન્દુ-મુસ્લિમ ઝેર ફેલાવનારા ભારતીયોને સંદેશ આપ્યો છે. તેણીએ કહ્યું કે તેણીએ તેના પતિને ગુમાવ્યો છે, પરંતુ તે મુસ્લિમો અને કાશ્મીરીઓ સામે નફરત ઇચ્છતી નથી. તે શાંતિ અને ફક્ત શાંતિ ઇચ્છે છે. તે ન્યાય પણ ઇચ્છે છે. અમને આશા છે કે ભારત સરકાર અમારી પુત્રીના શબ્દો યાદ રાખશે જેણે તેના પતિને ગુમાવ્યો છે. તેમણે કહ્યું, આ સમયે આપણે શાંતિ અને પ્રેમને પ્રોત્સાહન આપવું પડશે, નફરત નહીં.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch