Sat,08 August 2026,10:10 pm
Print
header

ઝાલોદમાં માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી

  • Published By Panna Patel
  • 2026-07-17 09:47:47
  • /

ઝાલોદઃ અનવરપુરા ગામે બે માસૂમ બાળકીઓને ખોળામાં લઈને એક માતાએ કૂવામાં ઝંપલાવી સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. ગ્રામજનોને આ અંગેની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે- ટોળા ભેગા થઈ ગયા હતા અને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથધરી હતી.

અનવરપુરા ગામે રહેતા 23 વર્ષીય સુનીતાબેન પપ્પુભાઈ કલારાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની 3 વર્ષની દીકરી પ્રાચી અને દોઢ વર્ષની દીકરી વંશી સાથે ગામમાં આવેલા કૂવામાં છલાંગ લગાવી હતી. માહિતી મળતા જ ઝાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને શોધખોળ હાથધરી હતી.

કલાકોની જહેમત બાદ માતા સુનીતાબેન અને એક બાળકીનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક બાળકી હજુ સુધી મળી ન હોવાથી ફાયર બ્રિગેડની ટીમ કૂવાના ઊંડા પાણીમાં સતત સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

સુનીતાબેને આટલું મોટું પગલું કેમ ભર્યું તે અંગે ઝાલોદ પોલીસના પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે. એક સાથે ત્રણ લોકોના મોતથી અનવરપુરા સહિત સમગ્ર ઝાલોદ પંથકમાં માતમ છવાઈ ગયો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch