અમદાવાદ: શહેરના ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. અકસ્માત બાદ છેલ્લા લગભગ પોણા ત્રણ વર્ષથી જેલમાં બંધ તથ્ય પટેલ હવે પહેલીવાર જેલની બહાર આવશે.
બચાવ પક્ષના વકીલોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે કેસમાં કુલ 191 સાક્ષીઓ છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 29 જેટલા આંખે દેખ્યા સાક્ષીઓની તપાસ જ પૂર્ણ થઈ છે અને હજુ ઘણા સાક્ષીઓની તપાસ બાકી છે.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે તથ્ય પટેલ પર IPC કલમ 304 (સાપરાધ મનુષ્યવધ) હેઠળ ગુનો નોંધાયેલો છે, પરંતુ તે હજુ સુધી દોષિત ઠર્યો નથી. તે લાંબા સમયથી જેલમાં છે. મૃતકોના પરિવારોને વળતર આપવા અંગે કોર્ટે જણાવ્યું કે, અત્યારે ટ્રાયલ ચાલુ હોવાથી વળતર બાબતે કોઈ નિર્ણય લેવાથી કેસ પર તેની અસર પડી શકે છે.
તથ્ય પટેલને જામીન મળવાના સમાચાર આવતા જ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ફરજ બજાવતા અને મૂળ સુરેન્દ્રનગરના ચુડા ગામના વતની એવા મૃતક પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહના બહેન કિરણબાએ ભાવુક થઈને ન્યાયતંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, આ કોઈ સામાન્ય અકસ્માત નથી, પરંતુ બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ લેવાનો મામલો છે. આરોપીને જામીન નહીં પરંતુ ફાંસી જેવી કડકમાં કડક સજા મળવી જોઈએ. અમે આજે પણ અમારા સ્વજનને ભૂલી શક્યા નથી.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50