22 શેલ કંપનીઓમાં અંદાજે 33.66 કરોડ રૂપિયાની હેરાફેરી મળી આવી
કઠવાડા- સિંગરવા રોડ પર આવેલા ઝવેરી એસ્ટેટમાં છે આર.કે.ઇન્ડસ્ટ્રીઝ
નરોડામાં આવેલી બિરાજ રેસિડેન્સી સહિત 12 જગ્યાઓએ દરોડા કરાયા હતા
પાન-મસાલાનો ખોટો વેપાર દર્શાવીને આઇટીસી લઇ લેવાઇ હતી
અમદાવાદઃ DGGI ની અમદાવાદ ટીમે મસમોટું કૌભાંડ ઝડપીને આરોપીની ધરપકડ કરી લીધી છે. કરોડો રૂપિયાની આઇટીસી મેળવી લેનારા નરોડાની આર.કે.ઇન્ડસ્ટ્રીઝના મયૂર શર્માની ધરપકડ કરવામાં આવી છે.
જુદી જુદી 22 જેટલી શેલ કંપનીઓ બનાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સને આ માહિતી મળી હતી, જેને આધારે તપાસ કરવામાં આવતા 22 જેટલી કંપનીઓ બોગસ હોવાનું સામે આવ્યું હતુ. જેને આધારે આર. કે. ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર મયૂર રામનિવાસ શર્માની ધરપકડ કરાઇ હતી.
GST નું કરોડો રૂપિયાનું મસમોટું કૌભાંડ પકડાયું, DGGI એ મયૂર શર્માની કરી ધરપકડ
આરોપી કોઇ પણ પ્રકારના માલની સપ્લાય કર્યાં વગર જ ખોટા બિલો બનાવતો હતો અને કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરીને સરકારી તિજોરીમાંથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી. આરોપીએ અમદાવાદ સિવાય રાજસ્થાનના જોધપુર, જયપુર અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં માલ વેંચ્યો હોવાના ખોટા બિલો બનાવ્યાં હતા. ખાસ કરીને પાન-મસાલાનો ખોટો વેપાર કરીને જીએસટીની આ ચોરી કરવામાં આવી હતી, હાલમાં આ કૌભાંડમાં અન્ય માથાઓની સંડોવણીની તપાસ કરાઇ રહી છે.
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે, ગૃહમંત્રી શાહ અંતિમ દર્શન કરવા જશે | 2025-06-16 08:30:05
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 31 લોકોનાંં ડીએનએ મેચ થયા, 12 મૃતદેહો સોંપવામાં આવ્યાં - Gujarat Post | 2025-06-15 11:44:33
અમદાવાદમાં પ્લેન ક્રેશનો Live વીડિયો બનાવનાર સગીર આવ્યો સામે, કહી આ વાત | 2025-06-14 15:12:30
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
બાળપણનું સપનું પુરું કરીને રોશની બની હતી એર હોસ્ટેસ, પ્લેન ક્રેશમાં થઇ ગયું મોત | 2025-06-13 13:46:10