ઉત્તર પ્રદેશઃ ઉન્નાવમાં આજે સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કુલ 18 મુસાફરોનાં મોત થયા છે. જેમાં 14 પુરૂષો, 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. ડબલ ડેકર બસ પાછળથી દૂધના કન્ટેનરમાં ઘૂસી જતાં આ અકસ્માત થયો હતો. લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર સ્પીડમાં આવી રહેલી બસ પાછળથી દૂધના કન્ટેનર સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઘટનાની માહિતી મળતાં જ બેહતા મુજાવર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢીને સીએચસી બાંગરમાળમાં સારવાર માટે દાખલ કર્યાં હતા, મૃતદેહોનો કબ્જો મેળવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માતની નોંધ લીધી છે. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા સૂચના આપી દીધી હતી, યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.
યુપીના પરિવહન મંત્રીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. X પર પોસ્ટ કરીને તેમણે લખ્યું કે ઉન્નાવ જિલ્લામાં એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. તમામ ઘાયલોની યોગ્ય સારવાર માટે જિલ્લા વહીવટી તંત્ર અને પરિવહન વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. હું મૃતકોના આત્માની શાંતિ અને ઘાયલો ઝડપથી સાજા થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
जनपद उन्नाव में लखनऊ-आगरा एक्सप्रेसवे पर सड़क दुर्घटना में हुई जनहानि अत्यंत दुखद है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं।
— Dayashankar Singh (Modi Ka Parivar) (@dayashankar4bjp) July 10, 2024
जिला प्रशासन व परिवहन विभाग के अधिकारियों को सभी घायलों के समुचित उपचार हेतु निर्देश दे दिए गए हैं।
#उन्नाव में #लखनऊ आगरा एक्सप्रेस-वे पर डबल डेकर पलट गई। हादसे में 20लोगों की मौत हो गई। 20 लोग घायल हो गए। हादसा इतना भीषण है कि बस बीच से फट गई। सूचना मिलते ही डीएम और एसपी पहुंच गए। घायलों को अस्पताल भेजा जा रहा है। बस दिल्ली से बिहार जा रही थी। #UNNAO #Accident pic.twitter.com/DTa1hV5A5E
— DINESH SHARMA (@medineshsharma) July 10, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી | 2025-06-11 16:21:32
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22