Sat,20 April 2024,2:24 pm
Print
header

મોદી સરકારનાં નિશાને ગાંધી પરિવારનાં ત્રણ ટ્રસ્ટ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયની કમિટિ કરશે ફન્ડિંગની તપાસ

નવી દિલ્હીઃ રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ફન્ડિંગને લઇને સતત ઉભા થઇ રહેલા સવાલો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી એક સમિતિ બનાવવામાં આવી છે, જે આ ફાઉન્ડેશનના ફન્ડિંગ, તેના દ્વારા કરવામાં આવેલા ઉલ્લંઘનોની તપાસ કરશે. આ કમિટીની આગેવાની સિમાંચલ દાસ, સ્પેશ્યલ ડાયરેક્ટર (ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટર) કરશે. આ વખતે ગાંધી પરિવાર સાથે જોડાયેલા આ બન્ને ટ્રસ્ટે નિયમોનું ઉલ્લંઘન તો નથી કર્યુંને તેની તપાસ કરાશે. થોડા દિવસ પહેલા ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીની દૂતાવાસ તરફથી લાખો રૂપિયાનું દાન મળ્યું હતું. તેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યાં હતા.

ત્રણ ટ્રસ્ટોની તપાસ થશે

રિપોર્ટ્સ પ્રમાણે, કુલ ત્રણ ટ્રસ્ટોની તપાસ કરાવવામાં આવશે. જેમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. આરોપ છે કે આ ટ્રસ્ટોએ નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અને ઈન્કમ ટેક્સના નિયમોને પણ તોડવાનો આરોપ છે.

કોંગ્રેસે આ આરોપોને ફગાવતા કહ્યું હતું કે, ભાજપ ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે આ પ્રકારના આરોપ લગાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના લક્ષ્યોને આગળ વધારવા માટે 21 જૂન 1991ના રોજ સોનિયા ગાંધીએ તેની શરૂઆત કરી હતી. આ ફાઉન્ડેશન એજ્યુકેશન, સાયન્સ એન્ડ ટેક્નોલોજીને પ્રોત્સાહિત કરવા શોષિત અને દિવ્યાંગોના એમ્પાવરમેન્ટ માટે કામ કરે છે. સોનિયા ગાંધી તેના ચેરપર્સન છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને પી.ચિદમ્બરમ ટ્રસ્ટમાં છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch