Sat,20 April 2024,7:35 pm
Print
header

એસપી સ્વામી, ઘનશ્યામ સ્વામીને મોટી રાહત, તડીપારના હુકમ સામે હાઇકોર્ટે આપ્યો સ્ટે

ગઢડાઃ ગોપીનાથ મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને ઘનશ્યામ સ્વામીને બોટાદ જિલ્લાના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 6 જિલ્લામાંથી તડીપાર કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.નાયબ કલેક્ટરે  એસપી સ્વામીને ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ 6 જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કરવા નોટીસ આપી હતી. મેજિસ્ટ્રેટના હુકમ વિરુદ્ધ સ્વામી દ્વારા હાઈકોર્ટમાં સ્ટે માટે અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટમાંથી હવે આચાર્ય પક્ષના હરિભક્તો માટે સારા સમાચાર આવ્યાં છે. હાઈકોર્ટ દ્વારા હુકમ વિરુદ્ધ સ્ટે આપી દેવામાં આવ્યો છે.

હાઈકોર્ટે DYSP, નાયબ કલેક્ટર, ગઢડા પીએસઆઈને હાજર રહેવા હુકમ કર્યો છે. સાથે જ તડીપાર કરવા માટેના શું કારણ તે જણાવવા પણ આદેશ આપ્યા છે.વિવાદિત એસપી સ્વામી વિરૂદ્ધ 2007ના જુનો કેસ અને લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગોપીનાથજી મંદિરના સંતોને તડીપાર કરતા ગઢડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંતોને કરાયેલો તડીપારનો હુકમ રદ કરવાની મામલતદારને રજૂઆત કરી હતી જો તડીપારનો હુકમ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ તેમના સમર્થક હરિભક્તોએ આપી હતી, નોંધનિય છે કે એસપી સ્વામી એક હરિભક્તને લાત મારતા પણ વિવાદમાં આવ્યાં હતા તેમની સામે અનેક વિવાદો જોડાયેલા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch