ગાંધીનગર: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ઘણા દિવસોથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વલસાડ, નવસારી સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. 23 જુલાઈએ લો-પ્રેશર સક્રિય થવાના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 21 જુલાઈ બાદ અનેક જિલ્લાઓમાં ધમાકેદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે આગામી 22 જુલાઈથી ઉત્તર ગુજરાત સાબરકાંઠા, મહેસાણા, પાટણ બનાસકાંઠા સહીતના વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલના કારણે નદી, ડેમ, ચેકડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. સુરતમાં વરસાદને કારણે વિયર કમ કોઝવે બંધ કરવામાં આવ્યો હતો, તાપી નદીમાં પાણીની આવક વધતા કોઝવે પરથી પાણી વહી રહ્યાં છે. જેથી આ ચોમાસાની સીઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે. રાંદેર અને કતારગામને જોડતો આ કોઝવે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
વૈશ્વિક કક્ષાના સુરતના ડાયમંડ બોર્સને લોકો ભૂતિયું બિલ્ડિંગ કહેવા લાગ્યા, જાણો શું છે કારણ ? | 2024-04-17 08:20:49
સાયબર ક્રાઈમ બ્રાન્ચના નકલી ઓફિસર બનીને છેતરપિંડી કરનારા આરોપીઓની ધરપકડ, ઉદ્યોગપતિને નકલી નોટિસ મોકલી હતી | 2024-04-17 08:02:16
ACB ટ્રેપઃ ગાંધીનગરની આ પંચાયતના તલાટી કમ મંત્રીએ માંગી હતી રૂ.2 લાખની લાંચ, રૂ.50 હજાર લેતા ઝડપાયા | 2024-04-16 20:36:58
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29