Wed,24 April 2024,9:17 pm
Print
header

વેક્સિનેશનને લઈને રાહુલ ગાંધી અને આરોગ્યમંત્રી માંડવિયા વચ્ચે ટ્વિટર વોર

નવી દિલ્હી: દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વેક્સિનને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોરોના કાળમાં રાહુલ ગાંધીએ દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ અને વેક્સિનેશનને લઈ મોદી સરકાર પર અવારનવાર સવાલો ઉઠાવ્યાં છે. હવે વેક્સિનેશનને લઈ રાહુલ ગાંધી અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા વચ્ચે ટ્વિટર વોર શરૂ થઈ ગયું છે. રાહુલે વેક્સિનેશન પર કરેલા ટ્વિટનો આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જવાબ આપતા લખ્યું છે કે ભારતમાં જુલાઈ મહિનામાં 13 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા છે. આ મહિને તેનાથી પણ ઝડપી રસીકરણ થશે. આ ઉપલબ્ધી માટે અમને સ્વાસ્થ્યકર્મીઓ પર ગર્વ છે. 

મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી પર વ્યંગ કરતા લખ્યું કે 13 કરોડ રસીના ડોઝ અપાયા તેમાંથી એક આપ પણ છો પરંતુ આપણા વૈજ્ઞાનિકો માટે એક શબ્દ પણ નથી કહ્યો. જનતાને વેક્સિન લગાવવા માટે અપીલ પણ નથી કરી. મતલબ કે આપ વેક્સિનેશન પર તુચ્છ રાજનીતિ કરી રહ્યાં છો. ખરેખર વેક્સિનની નહીં પરંતુ આપનામાં પરિપક્વતાની અછત છે.

દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં હતા પરંતુ છેલ્લા પાંચ દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, એટલે કે છેલ્લા પાંચ જ દિવસમાં બે લાખથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે આજે 41,831 નવા કેસ નોંધાયા હતા 39,258 લોકોએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે વધુ 541 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3,16,55,764
એક્ટિવ કેસઃ 4,11,043
કુલ રિકવરીઃ 3,08,20,521
કુલ મોતઃ 4,24,351

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch