નવી દિલ્હી: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક છૂટાછેડા લઈ રહ્યાં છે. આ સમાચારની પુષ્ટિ ખુદ ક્રિકેટરે કરી છે. હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા નતાશાથી અલગ થવાની જાહેરાત કરી છે. તેમના અલગ થવાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યાં હતા. જો કે, બંનેમાંથી કોઈએ પણ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી ન હતી અને હવે જ્યારે હાર્દિકે છૂટાછેડાની અફવાને સમર્થન આપ્યું છે ત્યારે તેના ચાહકો પણ ચિંતાતુર બની ગયા છે. પોસ્ટમાં હાર્દિકે જણાવ્યું છે કે આ નિર્ણય તેના માટે કેટલો મુશ્કેલ હતો.
હાર્દિકે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ચાર વર્ષ સાથે રહ્યાં બાદ મેં અને નતાશાએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સાથે રહેવાનો ખૂબ પ્રયાસ કર્યો અને અમારું બધું આપ્યું, પરંતુ અમને લાગે છે કે અમારું અલગ થવું યોગ્ય નિર્ણય છે. આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. અમે સાથે સારો સમય પસાર કર્યો છે. અમે એકબીજાને માન આપીએ છીએ અને એક પરિવાર તરીકે સાથે રહીએ છીએ. અમારા જીવનમાં અગસ્ત્ય છે જે અમારા જીવનનું કેન્દ્ર રહેશે. તેની ખુશી માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે આ સમય દરમિયાન તમારો સાથ ઇચ્છીએ છીએ અને ઇચ્છીએ છીએ કે તમે આ મુશ્કેલ સમયમાં અમારો સાથ આપો.
નોંધનીય છે કે નતાશા સ્ટેનકોવિચે ભારત છોડી દીધું છે અને પુત્ર અગસ્ત્ય પણ તેની સાથે છે. તે તેના પુત્ર સાથે સર્બિયામાં તેના ઘરે છે. હાલમાં જ હાર્દિક પંડ્યા અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં જોવા મળ્યો હતો. હાર્દિકે નતાશાને 2020માં પ્રપોઝ કર્યું હતું. તેઓ આ વર્ષે જુલાઈમાં માતા-પિતા બન્યા હતા. બંનેએ હિંદુ અને ખ્રિસ્તી ધર્મમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેનેડાના પીએમ માર્ક કાર્નેએ આ ભારતીય મહિલાને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા, ભારત સાથેના સંબંધો સુધરશે | 2025-05-14 09:48:12
અમદાવાદઃ પાલતુ શ્વાને ચાર મહિનાની બાળકી પર કર્યો હુમલો, માથામાં બચકું ભરીને ખોપરી ફાડી નાખતા મોત | 2025-05-14 08:56:23
પાકિસ્તાનને PoK ખાલી કરવા કહી દેવામાં આવ્યું, ભારતે કાશ્મીર મુદ્દે ટ્રમ્પને પણ આપ્યો સણસણતો જવાબ | 2025-05-13 19:57:00
Acb ટ્રેપઃ રૂ.40 હજારની લાંચમાં PSI સહિત બે પોલીસકર્મીઓ પર સકંજો કસાયો | 2025-05-13 19:40:50
આદમપુર એરબેઝ પહોંચીને મોદીએ કહ્યું દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું, પાકિસ્તાનની આ એરબેઝ પર હુમલાની વાત ખોટી સાબિત થઇ | 2025-05-13 16:19:44
ભારતની ચેતવણીની અસરઃ પાકિસ્તાને એલઓસી પર ન કરી કોઈ હરકત- Gujarat Post | 2025-05-12 08:50:25
છત્તીસગઢમાં ટ્રેલર- ટ્રકની ભયંકર ટક્કર, લગ્નમાં હાજરી આપીને પરત ફરતાં 13 લોકોનાં મોત - Gujarat Post | 2025-05-12 08:34:34
કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે ભારત-પાકિસ્તાન સાથે કામ કરીશ, બંને દેશોના નિર્ણય પર ગર્વઃ ટ્રમ્પ- Gujarat Post | 2025-05-11 11:33:49
પાકિસ્તાન ભારતીય સેનાના કડક નિયંત્રણ હેઠળ, સરહદ પર શાંતિ, સુરક્ષા દળો એલર્ટ | 2025-05-11 08:11:48
ACB ટ્રેપઃ રૂ. 2 લાખની લાંચના કેસમાં ખાણ ખનિજ વિભાગના 4 અધિકારીઓ-કર્મચારીઓ પર સકંજો | 2025-05-13 12:49:10