વોશિંગ્ટન: યુએન પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ આતંકવાદી હાફિઝ અબ્દુલ રઉફનો બચાવ કર્યો હતો, જે ભારતના આતંકવાદી છાવણીઓ પર ઓપરેશન સિંદૂર હવાઈ હુમલા પછી જનાજાની નમાઝનું નેતૃત્વ કરતો જોવા મળ્યો હતો. રઉફ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદને ટેકો આપતા જૂથો સાથે જોડાયેલા છે. ભુટ્ટોએ ભારપૂર્વક જણાવ્યું કે રઉફ આતંકવાદી નથી.
બિલાવલ ભુટ્ટોએ ભારત પર મોટો આરોપ લગાવ્યો
ભુટ્ટોએ કહ્યું, ભારતનું આ પ્રતિનિધિમંડળ આ ચિત્રને બધા સમક્ષ હિંસક રીતે રજૂ કરે છે. આ માણસ આતંકવાદી છે. સત્ય એ છે કે આ માણસ આતંકવાદી નથી. તેને અંતિમ સંસ્કારમાં રઉફની હાજરીના ભારત દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને ફગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
રઉફ વિશે સત્ય શું છે ?
ભુટ્ટોના દાવાઓ પર, ISPR એ પુરાવા શેર કર્યા જે દર્શાવે છે કે હાફિઝ અબ્દુલ રઉફ માટે કોમ્પ્યુટરાઈઝ્ડ નેશનલ આઈડેન્ટિટી કાર્ડ (CNIC) છે, જેમાં જન્મ તારીખ અને ઓળખ નંબર દર્શાવવામાં આવ્યો હતો જે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) દ્વારા નિયુક્ત વૈશ્વિક આતંકવાદીઓની યાદી સાથે બરાબર મેળ ખાતો હતો. CNIC એ પુષ્ટિ આપી છે કે રઉફના પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML), જે મુસ્લિમ લીગ (MML) ના અનુગામી છે, સાથેના સંબંધો છે. જેને અમેરિકા દ્વારા એપ્રિલ 2018 થી આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) ના સંગઠન તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કહ્યું કે, હાફિઝ અબ્દુલ રઉફે લશ્કર-એ-તૈયબાના ભંડોળ એકત્ર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. રઉફ લશ્કર-એ-તૈયબાના ચેરિટી મોરચાઓ સાથે પણ સંકળાયેલો છે.
ભારતે શું કહ્યું ?
ભારતે પાકિસ્તાનના દાવાઓને સખત રીતે નકારી કાઢ્યાં છે, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ફોટોગ્રાફિક પુરાવા પ્રકાશિત કર્યા હતા, જેમાં હાફિઝ અબ્દુલ રઉફ જનાજાની નમાઝનું નેતૃત્વ કરતો દેખાય છે, જેમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી.
ભારત વારંવાર તપાસ અને વાતચીતથી ભાગી રહ્યું છે - બિલાવલનો આરોપ
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારત પર આરોપ લગાવ્યો છે કે, ભારત વારંવાર તપાસ અને વાતચીતથી ભાગી રહ્યું છે. મને લાગે છે કે આ હમણાં વાત ન કરવાનું સૌથી નબળું બહાનું છે. ભારત અને પાકિસ્તાને શાંતિ માટે વાત કરવી જોઈએ. પરંતુ દર વખતે ભારત કોઈને કોઈ બહાનું કાઢે છે. ક્યારેક તે સેના અને સરકારનું બહાનું કાઢે છે, ક્યારેક આંતરરાષ્ટ્રીય રાજકારણનું અને ક્યારેક તે કહે છે કે બધા મુસ્લિમો આતંકવાદી છે અને તેથી અમે પાકિસ્તાન સાથે વાત કરીશું નહીં. હવે આ બધું બહુ થઈ ગયું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ | 2026-02-18 22:04:08
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34
ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા | 2026-02-18 15:44:26
ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું | 2026-02-18 15:16:26
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
અમેરિકા: વિદ્યાર્થીઓ આઇસ હોકી મેચ રમી રહ્યાં હતા ત્યારે ગોળીબાર થયો, બાળકી સહિત 3 લોકોનાં મોત | 2026-02-17 11:27:09
અમેરિકામાં ભારતીય એન્જિનિયર મૃત હાલતમાં મળ્યો, છ દિવસ પહેલા પાડોશીના દરવાજા પાસેથી લેપટોપ- બેગ મળી હતી | 2026-02-15 09:13:13
India - US Trade Deal: ટેક્સટાઈલ પર શૂન્ય ટકા ટેરિફ કરી શકે છે અમેરિકા | 2026-02-12 17:31:49
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25