વોશિંગ્ટન: યુએન પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ આતંકવાદી હાફિઝ અબ્દુલ રઉફનો બચાવ કર્યો હતો, જે ભારતના આતંકવાદી છાવણીઓ પર ઓપરેશન સિંદૂર હવાઈ હુમલા પછી જનાજાની નમાઝનું નેતૃત્વ કરતો જોવા મળ્યો હતો. રઉફ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદને ટેકો આપતા જૂથો સાથે જોડાયેલા છે. ભુટ્ટોએ ભારપૂર્વક જણાવ્યું કે રઉફ આતંકવાદી નથી.
બિલાવલ ભુટ્ટોએ ભારત પર મોટો આરોપ લગાવ્યો
ભુટ્ટોએ કહ્યું, ભારતનું આ પ્રતિનિધિમંડળ આ ચિત્રને બધા સમક્ષ હિંસક રીતે રજૂ કરે છે. આ માણસ આતંકવાદી છે. સત્ય એ છે કે આ માણસ આતંકવાદી નથી. તેને અંતિમ સંસ્કારમાં રઉફની હાજરીના ભારત દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને ફગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
રઉફ વિશે સત્ય શું છે ?
ભુટ્ટોના દાવાઓ પર, ISPR એ પુરાવા શેર કર્યા જે દર્શાવે છે કે હાફિઝ અબ્દુલ રઉફ માટે કોમ્પ્યુટરાઈઝ્ડ નેશનલ આઈડેન્ટિટી કાર્ડ (CNIC) છે, જેમાં જન્મ તારીખ અને ઓળખ નંબર દર્શાવવામાં આવ્યો હતો જે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) દ્વારા નિયુક્ત વૈશ્વિક આતંકવાદીઓની યાદી સાથે બરાબર મેળ ખાતો હતો. CNIC એ પુષ્ટિ આપી છે કે રઉફના પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML), જે મુસ્લિમ લીગ (MML) ના અનુગામી છે, સાથેના સંબંધો છે. જેને અમેરિકા દ્વારા એપ્રિલ 2018 થી આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) ના સંગઠન તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કહ્યું કે, હાફિઝ અબ્દુલ રઉફે લશ્કર-એ-તૈયબાના ભંડોળ એકત્ર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. રઉફ લશ્કર-એ-તૈયબાના ચેરિટી મોરચાઓ સાથે પણ સંકળાયેલો છે.
ભારતે શું કહ્યું ?
ભારતે પાકિસ્તાનના દાવાઓને સખત રીતે નકારી કાઢ્યાં છે, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ફોટોગ્રાફિક પુરાવા પ્રકાશિત કર્યા હતા, જેમાં હાફિઝ અબ્દુલ રઉફ જનાજાની નમાઝનું નેતૃત્વ કરતો દેખાય છે, જેમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી.
ભારત વારંવાર તપાસ અને વાતચીતથી ભાગી રહ્યું છે - બિલાવલનો આરોપ
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારત પર આરોપ લગાવ્યો છે કે, ભારત વારંવાર તપાસ અને વાતચીતથી ભાગી રહ્યું છે. મને લાગે છે કે આ હમણાં વાત ન કરવાનું સૌથી નબળું બહાનું છે. ભારત અને પાકિસ્તાને શાંતિ માટે વાત કરવી જોઈએ. પરંતુ દર વખતે ભારત કોઈને કોઈ બહાનું કાઢે છે. ક્યારેક તે સેના અને સરકારનું બહાનું કાઢે છે, ક્યારેક આંતરરાષ્ટ્રીય રાજકારણનું અને ક્યારેક તે કહે છે કે બધા મુસ્લિમો આતંકવાદી છે અને તેથી અમે પાકિસ્તાન સાથે વાત કરીશું નહીં. હવે આ બધું બહુ થઈ ગયું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી, મુસાફરોનો કોલકાતા ઉતારવામાં આવ્યા | 2025-06-17 09:54:32
જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ | 2025-06-17 09:29:09
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22
અમેરિકામાં બે સાંસદોને ઘરમાં ઘૂસીને ગોળી મારવામાં આવી, એક મહિલા સાંસદ અને તેમના પતિનું મોત | 2025-06-15 07:52:19
ભયંકર યુદ્ધ... ઈરાને ઈઝરાયલ પર છોડી 150 મિસાઈલ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સની કાર્યવાહીમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમના પ્રમુખનું મોત - Gujarat Post | 2025-06-14 10:51:55
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48