અમદાવાદ:કોરોના મુદ્દે સુઓમોટો જાહેરહિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઇ, કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની કોર્ટે ગંભીર નોંધ લીધી છે. સરકારની અમુક નીતિઓ પર નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના વિસ્ફોટ વચ્ચે રાજયભરમાં હોસ્પિટલ બેડ, રેમડેસિવિર સહિતની દવાઓ તથા ઓકસીજનની સર્જાયેલી તંગી અને જે રીતે સંક્રમિતો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા 108 સહિતની એમ્બ્યુલન્સમાં જ બેઠા બેઠા દમ તોડી રહ્યાં છે. તેની ગંભીર નોંધ લેતા હાઇકોર્ટે આજે ફરી એક વખત રાજયની વિજય રૂપાણી સરકારને આડેહાથે લીધી હતી.
કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં હાઈકોર્ટે રાજ્ય સરકારની આજે બરાબરની ઝાટકણી કાઢી હતી. સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. ફરીથી રેમડેસિવિર ઈન્જેક્શનના કાળા બજાર મામલે કોર્ટ સરકારને ખખડાવી નાખી હતી.
સિનિયર એડવોકેટ આંનદ યાજ્ઞિકે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે દરેક જિલ્લામાં RT-PCR ટેસ્ટ લેબ હોવી જોઈએ તેમજ દરેક મ્યુનિસિપાલિટીમાં ટેસ્ટિંગ ફેસિલિટી હોવી જોઈએ. ટ્રાઇબલ વિસ્તારો જિલ્લામાં RT-PCRની બહુ તકલીફો છે. કોરોનાના દર્દીઓને બેડ પણ મળતાં નથી, સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સુવિધા ઊભી કરવી જોઈએ, ગામડાંઓમાં ડોકટરોની કમી છે, જેના પર ધ્યાન આપવું જોઈએ.
ઓક્સિજનની અછત ઉભી થઇ
હાઈકોર્ટે કહ્યું, હોસ્પિટલ એવા દર્દીઓને દાખલ કરતી નથી જેમને ઓક્સિજનની જરૂર હોય. હવે ઓક્સિજનની પણ કાળાબજારી થઈ રહી છે. ઓક્સિજનના બ્લેક માર્કેટિંગ અંગે તપાસ કરો. ઓક્સિજન મળે તેની વ્યવસ્થા કરો
કોર્ટે પૂછ્યું કે રેમડેસિવિર ઇન્જેક્શન ક્યાં મળે છે અને કેવી રીતે મળે છે તેનો ઉલ્લેખ કેમ એફીડેવિટમાં નથી. તેનું પેજ ક્યાં છે. તમે કહો છો કે 53% બેડ ખાલી છે. તો શા માટે દર્દીઓએ હોસ્પિટલની બહાર ઉભું રહેવું પડે છે, ઘરે જવું પડે છે. અમે વાત આખા ગુજરાતની કરી રહ્યાં છીએ, અને તમે માત્ર અમદાવાદની સ્થિતી અહીં સમજાવી રહ્યાં છો.
ભાજપ સરકારની ઝાટકણી, હાઇકોર્ટના મહત્વના મુદ્દા
- ખાલી બેડની જગ્યા બાબતે ડેશ બોર્ડમાં સાચા આંકડાઓ અપડેટ થતા નથી, રિયલ ટાઇમ અપડેટ થવું જોઈએ.
- કોરોનામાં નાના મકાનમાં રહેતા પરિવારને પ્રોબ્લેમ થાય છે, આવા લોકોને રાખવા માટે કોઈ વ્યવસ્થા કરો.
- કોરોના કેસના આંકડા સાચા નથી એટલે જ રેમડેસિવિરની અછત છે
- જે દર્દીને ઓક્સિજનની જરૂર છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી, આ સાચું છે?
- ઓક્સિજનનું બ્લેકબજાર થઈ રહ્યું છે, અરેજમેન્ટ જલદી કરાવો.
- તમારા ડોકટરોની એક્સપર્ટ ટીમ દ્વારા લોકો સુધી રેમડેસિવિરના વપરાશની સાઈડ ઇફેક્ટની માહિતી પહોંચાડો.
- દરેક તાલુકામાં અને જિલ્લામાં RT-PCR ટેસ્ટ સુવિધા છે ?
- GMDCમાં ડ્રાઇવ થ્રુ શરૂ કરવામાં આવી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કઈ વ્યવસ્થા છે.
- તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યાં છે, લાઇનો કેમ લાગે છે ?
- દરેક ન્યૂઝપેપરમાં બેડ, ઓક્સિજન મળતાં નથી એનો ઉલ્લેખ છે.
- 15થી 16 માર્ચ પછી કેસો વધવાના શરૂ થયા, ત્યાર બાદ કોઈ ઘટાડો જોવાયો નથી. રાજ્ય સરકાર જે કામ કરી રહી છે એનાથી વધુ કરવાની જરૂર છે.
- હાઇકોર્ટ દ્વારા વારંવાર સરકારને ટકોર કરવામાં આવી છે છતાં પરિસ્થિતિ પર કાબૂ નથી. તમે જે રેમડેસિવિરની દલીલ કરી રહ્યાં છો એ એફિડેવિટમાં નથી.
- એડવોકેટ જનરલે હાઈકોર્ટના સવાલો પર જવાબ રજૂ કર્યો હતો જેમાં રેમડેસિવિર ઈંજેક્શનના ભાવ ઘટાડવા અંગે કેંદ્રને રજૂઆત કરી હોવાની વાત કહી. વડોદરા, સુરત અને રાજકોટમાં વધુ બેડ ઉપ્લબ્ધ કરાવાનો દાવો કર્યો છે. રાજય સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને ગુજરાત સરકારની વિનંતીથી કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. કોરોના સંદર્ભે અમદાવાદમાં ગઈકાલે ડ્રાઈવ થ્રુ 2000 RT-PCR ટેસ્ટ કરાયા અને સાંજ સુધીમાં તમામને પરિણામ પણ આપી દેવાયાં છે. ગુજરાત સરકારે તમામ લેબોરેટરીઓને વિનંતી કરી છે કે પોતાના સ્ટાફમાં વધારો કરે અને પરિણામો 24 કલાકમા જલદીથી જલદી આપે, લેબોરેટરીઓએ પણ અમને ખાતરી આપી છે તેઓ દરરોજ 8થી 12 હજાર ટેસ્ટ કરે છે.
જિલ્લાની સરકારી હોસ્પિટલો પર સૌથી વધુ કેસોનું ભારણ છે. રાજકોટ, મોરબી જેવાં સ્થળોએ પણ નવી વ્યવસ્થાઓ ઊભી કરાઈ રહી છે. રાજ્યમાં 1100 મે.ટન જેટલું ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. થોડા દિવસો પહેલાં હોસ્પિટલોમાં 50 મે.ટન જરૂર હતો આજે 730 મે.ટન ઓક્સિજનની આવશ્યકતા છે. આજે ગુજરાતમાં ઉત્પાદિત થતા ઓક્સિજનનો સંપૂર્ણ જથ્થો મેડિકલના ઉપયોગ માટે આપવાનો સરકારે નિર્ણય કર્યો છે, સાથે જ રેમડેસિવિર ઈન્જેકશન માત્ર ને માત્ર મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ આપવાનાં છે. રેમડેસિવિર ઈન્જેકશન હોસ્પિટલમાં જ વાપરી શકાય એવું દરેક કંપનીએ પોતાના ઈન્જેકશનના પેકિંગ પર લખેલું છે. કોર્ટે નોંધ લીધી છે કે આ ઇન્જેક્સન 900 ની જગ્યાએ 12-12 હજારમાં મળી રહ્યાં છે બ્લેકમાં વેચાણ થઇ રહ્યું છે જે અયોગ્ય છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29