ગાંધીનગરઃ ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ આજે ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોનાગ્રસ્ત જમાતના લોકોની માહિતી આપી હતી, તેમને જણાવ્યું કે દિલ્હીના તબ્લિગી જમાતના કાર્યક્રમમાંથી ગુજરાતમાં આવેલા 127 લોકોની ઓળખ થઇ છે, તેમાંથી 11 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટવ આવ્યાં છે, જેમને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે, આ 11 કોરોનાં પોઝિટિવ લોકો જેમના સંપર્કમાં આવ્યાં હતા, તેવા અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
ડીજીપીએ જણાવ્યું છે કે જે લોકો જમાતમાંથી આવ્યાં હોય કે અન્ય કોઇ જગ્યાએથી તેમને સામે આવીને ક્વોરોન્ટાઇન થઇને કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઇએ, જે સમાજના હિતમાં છે, જે લોકો ગુજરાતમાં આવીને છુપાઇ ગયા છે, તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરાઇ રહી છે, સાથે જ જમાતીઓના અમદાવાદના અન્ય એક ગ્રુપની તપાસ થઇ રહી છે, જેઓ દિલ્હીના કાર્યક્રમમાં ગયા હતા, ડીજીપીએ જણાવ્યું છે કે પોલીસ સીસીટીવી અને ડ્રોન મારફતે રાજ્યભરમાં નજર રાખી રહી છે, બહાર કામ વગર ફરી રહેલા લોકો સામે કાર્યવાહી કરાશે. અત્યાર સુધી જાહેરનામાના ભંગ બદલ 6151 લોકોની ધરપકડ કરાઇ છે.
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45