Thu,25 April 2024,5:12 pm
Print
header

સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી, દર્દીનાં મોત પછી 5 કલાકે મળી વાન

પ્રતિકાત્મક ફોટો

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઇરસની મહામારીમાં અનેક દર્દીઓ અને તેમના પરિવારજનો હેરાન થઇ રહ્યાં છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિતની અન્ય કોવિડ હોસ્પિટલોને લઇને ગુજરાત હાઇકોર્ટે પણ સરકાર સામે નારાજગી દર્શાવી છે, અગાઉ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ ભોજન મામલે હોબાળો કરીને વીડિયો વાઇરલ કર્યો હતો, હવે ફરીથી સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. અહી દર્દીઓનાં મોત પછી કલાકો સુધી શબવાહિની મળતી નથી, જમાલપુરના એક વૃદ્ધનું મોત રાત્રે 7.30 વાગ્યે થયું હતુ અને તેની અંતિમ વિધી સવારે 7 વાગ્યાની આસપાસ કરાઇ હતી,  દર્દીનાં મોત બાદ તેમની અંતિમવિધી માટે ઘણા કિસ્સાઓમાં 10 કલાક અને ઘણા કિસ્સાઓમાં 5 કલાક પછી વાન આપવામાં આવી હોવાના આરોપ લાગ્યા છે.

એવું પણ જાણવા મળ્યું છે કે કોરોનાનાં ડરના કારણે ઘણી વાનના ડ્રાઇવર આવી રહ્યાં નથી, જેથી સિવિલ પાસે અંદાજે 20 જેટલી વાનમાંથી 8 જેટલી વાન હાલમાં કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કોરોનાના દર્દીની લાશની અંતિમવિધી માટે કલાકો રાહ જોવી પડે તે જોખમી પણ છે, તંત્ર દ્વારા તાત્કાલિક આ દિશામાં યોગ્ય કાર્યવાહી થવી જોઇએ, નોંધનિય છે કે સિવિલ હોસ્પિટલમાંથી કેટલાય દર્દીઓના સોનાના દાગીના, ઘડિયાળ અને મોબાઇલ સહિતની વસ્તુઓની ચોરીના અનેક કિસ્સા છે, જેમાં 2 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch