રાજકોટ: કોંગ્રેસના કેન્દ્રીય નેતાએ મોદી સરકાર અને રાજ્યની ભાજપ સરકાર સામે આક્રમક મોરચો ખોલ્યો છે. રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે રામ મંદિર અને ખેડૂતોની દુર્દશા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા નિશાના પર લીધા હતા.
રાજકોટમાં મુકુલ વાસનિકે રામ મંદિરના બાંધકામ અને જમીન વ્યવહારોમાં થયેલી ગેરરીતિઓ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. વાસનિકે જણાવ્યું કે, જો રામ મંદિરનો શિલાન્યાસ, નિર્માણ અને ઉદ્ઘાટનનો બધો જ શ્રેય વડાપ્રધાન પોતે લેતા હોય, તો ત્યાં થયેલી લૂંટની જવાબદારી પણ તેમની જ બને છે. આ જવાબદારી બીજા કોઈ પર ઢોળી શકાય નહીં.
તેમણે વડાપ્રધાન પાસે દેશની જનતા સામે આ મામલે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. વધુમાં તેમણે કટાક્ષ કર્યો કે સરકારે માત્ર નાના કર્મચારીઓ બલિનો બકરો બનાવવાના બદલે મોટી માછલીઓ પર હાથ નાખવાની હિંમત બતાવવી જોઈએ. જ્યારે પત્રકારે પૂછ્યું કે શું ચંપત રાયને બચાવવામાં આવી રહ્યાં છે ? ત્યારે વાસનિકે મીડિયા સામે હસતા હસતા કટાક્ષ કર્યો કે, આ બાબત મારા કરતાં વધુ સારી રીતે તમે જાણો છો.
કોંગ્રેસ પ્રભારીએ આક્ષેપ કર્યો કે વડાપ્રધાન અને તેમના સાથીઓ સતત જગતના તાત ખેડૂતોની આંખોમાં ધૂળ નાખી રહ્યાં છે. તેમણે કહ્યું કે જ્યારે પણ લોકસભા કે વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યારે ખેડૂતોને પાકના લઘુત્તમ ટેકાના ભાવના મોટા-મોટા વચનો અપાય છે, પણ ચૂંટણી પુરી થતા આ સરકાર બધું ભૂલી જાય છે.
વાસનિકે ઉમેર્યું કે, સરકારે કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનને ભારત રત્ન તો આપ્યો, પણ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટેની તેમની મુખ્ય ફોર્મ્યુલાને મોદી સરકારે ફગાવી દીધી. આજે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પણ સમગ્ર ગુજરાતનો ખેડૂત દેવાના ડુંગર નીચે દબાયેલો છે. જો રાજ્યમાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બનતા હોય, તો પરિસ્થિતિ કેટલી ગંભીર છે તે સરકારે સમજી લેવું જોઈએ.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારની કરી જાહેરાત, ભીખાભાઈ રબારીને મળી ટિકિટ | 2026-07-13 08:54:57
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
છેડતી કરનારને બે લાફા મારી લેજો, બાકીની જવાબદારી મારી: જૂનાગઢના ધારાસભ્યની ચીમકી | 2026-06-26 19:21:02
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
પાણી માટે રૂ.12 લાખ, બપોરના ભોજન માટે રૂ. 20 લાખ.. 3 દિવસના ડિમોલિશન દરમિયાન અધિકારીઓનું રૂ. 46 લાખનું ખર્ચા પાણી બિલ | 2026-06-26 17:54:23
ACB ટ્રેપમાં દેવભૂમી દ્વારકાના જુનિયર ક્લાર્ક ફસાયા, રૂ. 3 હજારની લાંચ લેતા ઝડપાયા | 2026-06-24 09:56:40
મોરબી વીજપોલ વિવાદ: ખેડૂતોના ઉપવાસ વચ્ચે મંત્રી કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ? | 2026-06-22 18:33:20
મોરબીઃ ભાજપ સરકારના વિરોધમાં 15 ખેડૂતોએ કરાવ્યું મુંડન, હાઈટેન્શન લાઈનના વિરોધમાં 9 ખેડૂતો આમરણ ઉપવાસ પર | 2026-06-20 17:44:11