Sat,20 April 2024,8:55 am
Print
header

ગુજરાત સરકારે કહ્યું અમારું ઐતિહાસિક બજેટ, કોંગ્રેસે બજેટને ગણાવ્યું નિરાશાજનક- Gujarat Post

ગાંધીનગરઃ ભાજપે રાજ્યના વિકાસ માટે વર્ષ 2023-24 નું ₹3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું છે. જે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. બજેટની ખાસ વાત એ છે કે જનતા પર કોઈ નવા કરવેરા લાદવામાં આવ્યાં નથી.આ બજેટ ગુજરાતની વિકાસ યાત્રાના પાંચ સ્તંભ (1) સમાજના ગરીબ વર્ગ માટે પાયાની સુવિધા સાથે સામાજિક સુવિધા આપવી (2)  માનવ સંસાધન વિકાસ (3) વિશ્વસ્તરીય આંતર માળખાકીય સુવિધાઓનો  વિકાસ (4) ખાનગી રોકાણને પ્રોત્સાહન અને (5) વિકાસ થકી પર્યાવરણનું સંરક્ષણ પર રજૂ કરવામાં આવ્યું હોવાનો નાણાંમંત્રીએ દાવો કર્યો છે.

આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે રૂ. 57,053 કરોડનો બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. સૌથી વધુ ફાળવણી શિક્ષણ વિભાગને કરવામાં આવી છે. આ વિભાગ માટે કુલ રૂ. 43,651 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બીજા નંબરે આરોગ્ય વિભાગને વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ.5580 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. છોટાઉદેપુર, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ડૉ.આંબેડકર ભવન બાંધવા માટે રૂપિયા 5 કરોડ તથા વિવિધ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે રૂપિયા 8 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 6064 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ8738 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 1570  કરોડની તથા રીવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકિય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે 1390 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ. 20,642 કરોડ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ રૂ. 568 કરોડ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ રૂ. 10,743 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઉપરાંત પાણી પૂરવઠા પ્રભાગ માટે રૂ. 6000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના - મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ કુટુંબ દીઠ વિમાની વાર્ષિક મર્યાદા રૂ.5 લાખથી વધારીને ₹10 લાખ કરવાની જાહેરાત બજેટમાં થઈ છે.

ગુજરાતની વિકાસયાત્રામાં આ બજેટ સીમાચિન્હરૂપ બનશેઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ

બજેટ રજૂ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલું વર્ષ 2023-24 નું બજેટ ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઈ નવા કરવેરા વિનાનું બજેટ છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં વિકાસના રોલ મોડલ બનેલા ગુજરાતની વિકાસયાત્રામાં આ બજેટ મહત્વનું સાબિત થશે.

ચૂંટણીમા જે સપના બતાવાયા હતા તે ઠાલા નીવડ્યાઃ અમિત ચાવડા

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ બજેટ બાદ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે 156 સીટો સાથે સરકાર બનાવનારી આ સરકાર અમૃત કાળ બજેટની વાતો કરે છે. બજેટમાં લોકોના ભાગે અમૃત ન આવ્યું, ખેડૂતોને આશા હતી કે તેમની આવક બમણી થશે, પરંતુ તેનાથી વિપરીત ખેડૂતો પાયમાલ થઇ રહ્યાં છે. ખેડૂતોના આર્થિક દેવા માફ કરવાની જોગવાઇ નથી. રાજ્ય દેવામાં છે એની કોઇ વાત નથીં કરતું, બજેટમાં મોટા મોટા આંકડાઓની માયાજાળ રચાઈ છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch