ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ શનિવારે રાજીનામું આપ્યાં બાદ નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના પર સૌની નજર છે. રાજ્યના નવા સીએમ આજે બપોર બાદ જાહેર થઈ શકે છે. નવા મુખ્યમંત્રી બન્યા બાદ મંત્રીમંડળનું પણ વિસ્તરણ થશે. જેમાં અનેક નેતાઓની બાદબાકી થઈ શકે છે.
સૌરાષ્ટ્રના જાણીતા અખબાર અકિલાના તંત્રી કિરીટ ગણાત્રાના કહેવા મુજબ, નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળમાંથી કોંગ્રેસમાંથી આવેલા ત્રણ સીનિયર નેતાઓનું મંત્રીપદ છીનવાઈ શકે છે. ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા અન્ય ત્રણ નેતાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન નહીં આપવામાં આવે. ભાજપના પણ કેટલાક મંત્રીના પત્તા કપાઈ શકે છે. અમે તમને જણાવી દઇએ કે અગાઉ જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયા જેવા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપે મંત્રી પદ આપી દીધું હતુ
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ધારાસભ્યોને મંત્રી પદ અપાશે. ખાસ કરીને જ્ઞાાતિવાદના સમીકરણોને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે. છેલ્લા કેટલાક વખતથી ભાજપે મંત્રીઓની કામગીરીની સમીક્ષા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
જે મંત્રીઓની નબળી કામગીરી છે તેમના પત્તા કપાઇ શકે છે, મત વિસ્તારમાં સારી કામગીરી કરતા ધારાસભ્યોને મંત્રી તરીકે તક મળી શકે છે. પુરૂષોત્તમ સોલંકી, બચુભાઇ ખાબડ, યોગેશ પટેલ સહિતના કેટલાક મંત્રીઓને ઘેર બેસવું પડી શકે તેમ છે. કેટલાક મંત્રીઓને કેબિનેટ પ્રધાન તરીકે પ્રમોશન પણ અપાઇ શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18