Thu,25 April 2024,9:35 am
Print
header

ખેડૂતો આનંદો, બે વર્ષમાં ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે જ મળશે વીજળી- Gujarat Post

ગાંધીનગરઃ હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન સરકારે આવતા બે વર્ષમા ખેડૂતોને દિવસે વીજળી મળશે તેમ જણાવ્યું છે. વિધાનસભામાં ઉર્જામંત્રી કનુભાઇ દેસાઈએ આ નિવેદન આપ્યું છે. હાલમાં ફીડર્સમાં દિવસે વીજળી આપવાને લઇને ક્ષમતા ઓછી છે. દિવસે વીજળી આપવા માટે 1590 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ જવાબ આપ્યો છે.

વિધાનસભા ગૃહમાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન છે. નવા ફીડર મારફતે પૂરતા દબાણથી વીજ પુરવઠો પૂરો પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

ફીડરનું વિભાજન કરવાની જરૂર ક્યારે પડે છે અને ફીડરનું વિભાજન કઈ કઈ યોજનાઓ હેઠળ કરવામાં આવે છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે આ વાત મુકી હતી. વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવા માટે 66 કેવી સબ સ્ટેશનથી વીજ ગ્રાહકના સ્થળ-વિસ્તાર પાસે ઊભા કરવામાં આવેલા ટ્રાન્સફોર્મર સુધી વીજ પુરવઠો આપવા ઊભી કરવામાં આવતી 11 કેવી વીજ લાઇનને ફીડર કહેવામા આવે છે. તેની ક્ષમતાને આધારે ખેડૂતોને વીજળી પુરી પાડવામાં આવે છે.

સરકાર દ્વારા સાગરખેડૂ સવાર્ગી વિકાસ યોજના, સરદાર કૃષિ જયોતિ યોજના, નોર્મલ એજી ફીડર બાયફરકેશન યોજના, વનબંધુકલ્યાણ યોજના- 2,  સ્ટમ ઇમ્પ્રુવમેન્ટ યોજના અંતર્ગત ફીડરનું વિભાજન કરવામાં આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch