Fri,19 April 2024,10:42 pm
Print
header

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોના નબીરાઓની ભૂંડી હાર થઈ

ગાંધીનગરઃ રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાર થઈ છે. પેટલાદ નગર પાલિકાના વોર્ડ નંબર ત્રણ અને પાંચમાં ઉમેદવારી કરનારા ધારાસભ્ય નિરંજન પટેલનો બંને બેઠકો પર પરાજય થયો છે. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓના નબીરાઓની હાર થઇ છે.આણંદ જિલ્લા પંચાયતની તારાપુર બેઠક પર ધારાસભ્ય પુનમ પરમારના ભત્રીજા નિકુંજ પરમારની કારમી હાર થઈ છે.

પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા પણ તાલુકા પંચાયત બેઠક પર હારી ગયાં છે. ઉત્તર ગુજરાતમાં ધારાસભ્ય અશ્વિન કોટવાળના પુત્રનો કારમો પરાજય થયો છે. દ્વારકા જિલ્લા પંચાયતમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્રની હાર થઈ છે.

આમ કોંગ્રેસના નેતાઓના સગા સબંધીઓ અને ચાલુ ધારાસભ્યોનો પરાજય થયો છે. અરવલ્લી જિલ્લાના ભીલોડાના ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્રની હાર થઈ છે.  આમ હવે જૂની પાર્ટી અસ્ત તરફ આગળ વધી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ઓવૈસીને બેઠકો મળતા નવી પાર્ટીઓનો ઉદય થયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch