ગાંધીનગર: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025-26 રજૂ કર્યું હતું. કેન્દ્ર સરકારના બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું કેન્દ્રીય બજેટ-2025 દેશના ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની આશાઓ-અપેક્ષાઓની પરિપૂર્તિ કરનારું છે. તેમણે કહ્યું કે આ બજેટ વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવાની ચેતના પૂરી પાડનારું છે.
કપાસ પકવતા ખેડૂતો માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીની જાહેરાત ગુજરાતના ખેડૂતોને ફાયદો કરાવશે. તેમણે કહ્યું કે મેરીટાઇમ ઇન્ડસ્ટ્રી માટેની લાંબા ગાળાના ધિરાણની 25 હજાર કરોડની યોજના માટે મેરીટાઇમ ફંડની સ્થાપના કરવામાં આવી છે. તેનાથી ગુજરાતના લાંબા દરિયા કિનારાના ઉદ્યોગને વેગ મળશે. MSMEની વ્યાખ્યાને વિસ્તૃત કરવામાં આવતા તેનો ફાયદો ગુજરાતના MSME સેક્ટરને મળશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલ કેન્દ્રીય બજેટ-2025 દેશના ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની આશાઓ-અપેક્ષાઓની પરિપૂર્તિ કરનારું છે. આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 1, 2025
વિકસિત ભારતના… pic.twitter.com/Gxz5wrn4nj
પ્રધાનમંત્રી કૃષિ ધનધાન્ય યોજનામાં દેશના ઓછી કૃષિ ઉત્પાદકતા જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવી છે અને તેનાથી 1.70 કરોડ ખેડૂતોને લાભ મળશે, તેમજ ગ્રામીણ વિકાસને વેગ મળશે અને સ્થાનાંતર પણ અટકશે, ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારવામાં આવી છે તેનાથી પણ ખેડૂતોને ફાયદો મળશે.
ભૂપેન્દ્ર પટેલે આ બજેટની સૌથી મહત્વની વાત ગણાવતા કહ્યું હતું કે, હવેથી 12 લાખ સુધીની આવક ધરવાનારાઓને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ મળી છે. દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ બહુ મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનને અભિનંદન. આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું બજેટ છે. આ બજેટમાં કૃષિ, MSME,નિકાસ અને રોકાણના ચાર એન્જિનને આવરી લેવાયા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચુકાદો | 2025-11-17 15:47:35
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-સંતાનોની કરી હત્યા, લાશ સાથે પથ્થરો બાંધીને દાટી દીધા | 2025-11-17 12:17:07
સાઉદી અરબમાં ઉમરાહ માટે જતી બસને નડ્યો અકસ્માત, 42 ભારતીયોના મોત, ટોલ ફ્રી નંબર જાહેર કરાયો | 2025-11-17 11:47:24
ACB ટ્રેપમાં ફસાયા UGVCL ના જુનિયર એન્જિનિયર, રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી | 2025-11-17 09:46:36
આ ઘટના ખતરનાક છે, ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનોની લાશો દાટેલી હાલતમાં મળી | 2025-11-16 19:44:45
રાજકોટમાં 8-9 જાન્યુઆરી 2026ના રોજ બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે | 2025-11-16 11:45:16
જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર | 2025-11-16 11:41:51
રૂ. 40 કરોડનું 100 કિલો મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણી નોટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ લગાવ્યં, રૂ. 2 લાખની નોટ જપ્ત | 2025-11-15 19:11:51
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
કાશ્મીરમાં આતંકી ડોક્ટર ઉમર નબીનું ઘર તોડી પાડવામાં આવ્યું, આખી રાત ઓપરેશન ચાલ્યું | 2025-11-14 08:56:41
દિલ્હી બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર કોણે કર્યું હતું ? તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ આવ્યું બહાર | 2025-11-13 09:23:08