નવી દિલ્હી: કોરોનાકાળમાં લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર થઇ ગયા છે. એવામાં કેન્દ્ર સરકાર આ લોકોની મદદ માટે આગળ આવી છે, સરકાર તરફથી 50 ટકા સેલરીની રકમ ચૂકવવામાં આવશે. જોકે આ ત્યારે જ થશે જ્યારે તેમની સેલરીમાં પીએફ અથવા ઇએસઆઇનો ભાગ કપાતો હોય.
લોન્ચ કરી છે આ યોજના
સરકારે તાજેતરમાં એમ્પ્લોઇ સ્ટેટ ઇંશ્યોરન્સ એક્ટ (ESIC Act.) હેઠળ અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાની અવધિને 30 જૂન 2021 માટે વધારવાની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકારે પેમેન્ટને પણ નોટિફાઇ કરી દીધું છે. ત્યાર બાદ 31 ડિસેમ્બર 2020 સુધી થોડી ઢીલ સાથે સબ્સક્રાઇબર્સને 50 ટકા બેરોજગારી લાભ આપવામાં આવશે. આ ફાયદો તે કામગરોને મળશે જેમની 31 ડિસેમ્બર પહેલાં નોકરી જતી રહી હોય.
આ રીતે કરી શકો છો રજિસ્ટ્રેશન
અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો તેમાં રજિસ્ટ્રેશન જરૂરી છે. તમે ESICની વેબસાઇટ પર જઇને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ ડાઉનલોડ કરવા માટે આ લિંકનો ઉપયોગ કરો.
https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fdf7793...
આ ફોર્મને સાચી ભરીને કર્મચારી રાજ્ય બીમા નિગમની કોઇ નજીકની બ્રાંચમાં જમા કરાવવું પડશે.આ ફોર્મ સાથે 20 રૂપિયાના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર નોટરી વડે એફિડેવિટ પણ આપવું પડે છે. તેમાં AB-1 થી લઇને AB-4 ફોર્મ જમા કરાવવામાં આવશે. તેની ઓનલાઇન સુવિધાન થી, પરંતુ થોડા દિવસો પહેલાં જાણકારી આવી હતી કે આ સુવિધા જલદી શરૂ થશે. આ યોજનાનો ફાયદો તમે ફક્ત એકવાર ઉઠાવી શકો છો.
1 જાન્યુઆરી 2021 થી 30 જૂન 2021 વચ્ચે ઓરિજનલ ક્રાઇટેરિયાના આધારે જ સબ્સક્રાઇબર્સને લાભ મળી શકશે. આ સમયગાળામાં બેરોજગારી લાભ 50 ટકાના બદલે 25 ટકા જ મળશે. આ સ્કીમનો લાભ સંગઠિત ક્ષેત્રના તે કર્મચારી ઉઠાવી શકે છે જે ESIC થી બીમિત છે અને બે વર્ષ થી વધુ સમય નોકરી ચૂક્યા હોવ. આ ઉપરાંત આધાર અને બેંક એકાઉન્ટ ડેટા બેસ સાથે જોડાયેલું હોવું જરૂરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29